Get The App

જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર અંગ્રેજી શાળામાં ફી વધારાના મુદ્દે વાલીઓનો આક્રોશ

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર અંગ્રેજી શાળામાં ફી વધારાના મુદ્દે વાલીઓનો આક્રોશ 1 - image

Jamnagar : જામનગરમાં લીમડાલાઈન વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિરના અંગ્રેજી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓની ફીમાં રૂપિયા 7,500 જેઓ તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને વિદ્યાર્થી અને તેના વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર અંગ્રેજી શાળામાં ફી વધારાના મુદ્દે વાલીઓનો આક્રોશ 2 - image

દરમિયાન આજે શાળાના દ્વારે વિદ્યાર્થીઓના 43 જેટલા વાલીઓએ એકત્ર થઈને લેખિતમાં રજૂઆતને કરી ફી વધારાનો અવરોધ દર્શાવ્યો હતો. આવી કાળજાળ મોંગવારીમાં વધારો ભારે અસહ્ય છે અને તે પ્રમાણે શાળામાં સુવિધાનો પણ કોઈ સુધારો થયો નથી, જેથી ફી વધારો તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે, તેવી માંગણી કરી છે. ત્રણ દિવસના આ મામલે કોઈ જ ન્યાય નહિં મળે તો સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવાની ચીમકી અપાઈ છે.