Gujarat

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન

By GS TEAM
7 Nov 20251 min read
TukuTouch Logo
ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં અને લોકકલા ક્ષેત્રે શોકની ઊંડી લાગણી છવાઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન

Zoravar Singh Jadav: ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં અને લોકકલા ક્ષેત્રે શોકની ઊંડી લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ મોડાસાથી ફરવા જતા પ્રવાસીઓની બસની બ્રેક ફેલ થતાં ભયંકર અકસ્માત, 13 ઈજાગ્રસ્ત

લોકસાહિત્ય માટેનું અનન્ય સમર્પણ:

જોરાવરસિંહ જાદવે પોતાનું આખું જીવન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું. તેમના યોગદાનને કારણે જ ગુજરાતી લોકસાહિત્યને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી હતી. તેમણે લોકવાર્તાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું. તેમની જાણીતી કૃતિઓમાં 'મરદ કસુંબલ રંગ ચડે' અને 'મરદાઈ માથા સાટે' જેવી લોકપ્રિય વાર્તાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ 'વંદે માતરમ'ના 150 વર્ષ: આ ગીતની રચના માટે બંકિમચંદ્ર ચેટર્જીને પ્રેરણા ક્યાંથી મળી? જાણો રોચક કિસ્સો

લોકસાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર ઉપરાંત મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના

જોરાવરસિંહ જાદવે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરીને અનેક ગ્રામીણ લોકકલાના કલાકારોને ઓળખ અને પ્રોત્સાહન આપીને તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યા હતા. ગુજરાતી લોકસાહિત્ય જગતે તેમના અવસાનથી એક મૌલિક સર્જક, નિષ્ઠાવાન વાર્તાકાર અને લોકપ્રેમી વ્યક્તિત્વ ગુમાવ્યું છે.