અમદાવાદ પ્લેન ક્રેશ મામલે તપાસમાં અમેરિકાની એજન્સી પણ કરશે મદદ, NTSBની ટીમ આવશે ભારત
Air India Flight Crash in Ahmedabad : અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ જાહેરાત કરી છે કે, તે ભારતની વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB)ને ઘટનાની તપાસ કરવામાં મદદ કરશે.
જે કંપનીએ વિમાન બનાવ્યું, તે એક્સપ્રર્ટ્સની ટીમ ભારત મોકલશે
અમેરિકાની એજન્સી એલટીએસબીએ પોતાની એક્સપર્ટ્સની ટીમ ભારત મોકલવાની તૈયારી કરી દીધી છે. આ ટીમ એઆઈઆઈબી સાથે મળી અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનની તમામ બાબતોની તપાસમાં કરશે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના એનેક્સ-13 પ્રોટોકોલ મુજબ, જ્યારે કોઈ દેશમાં વિમાન દુર્ઘટના થાય છે અને તે વિમાન જે કંપનીએ બનાવ્યું હોય છે, ત્યારે તે વિમાન બનાવનાર કંપની તપાસમાં સામેલ થઈ શકે છે. ક્રેશ થયેલું એર ઈન્ડિયાનું વિમાન બોઈંગ 787-8 હતું, જે અમેરિકાની કંપની બોઈંગ દ્વારા બનાવાયું છે, તેથી ઘટનામાં એનટીએસબીની ભૂમિકામાં હોવાનું સ્વાભિવક છે.
એનટીએસબીની અમેરિકાની એક સ્વતંત્ર એજન્સી
એનટીએસબી એટલે કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અમેરિકાની એક સ્વતંત્ર એજન્સી છે. આ કંપની ત્યાં થતી વિમાન દુર્ઘટનાઓની તપાસ કરે છે, જે વિમાન, ટ્રેન, રોડ, દરિયામાં અને પાઈપલાઈન ઘટનાઓની તપાસ કરે છે. જો અમેરિકાની બહાર અમેરિકામાં બનતા વિમાનની કોઈ દુર્ઘટના બને છે, તો એનટીએસબી આઈસીએઓના નિયમ મુજબ, તે દેશની મંજૂરી મેળવ્યા બાદ તપાસમાં સામેલ થઈ શકે છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ
આજે (12 જૂન) એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર એઆઈ-171 અમદાવાદના સરદાર વલ્લભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે રવાના થયું હતું. આ દરમિયાન ફ્લાઈટ ટેકઓફ થવાની સાથે જ થોડીક સેકન્ડોમાં મેઘાણીનગર વિસ્તારમાં ઇન્ટર્ન ડૉક્ટરની હોસ્ટેલ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનામાં રાજસ્થાનના 11 લોકોના મોત થયા છે, જેમાં ઉદયપુર, બાંસવાડા, બીકાનેર અને બાલોતરા જિલ્લાના રહેવાસીનો સમાવેશ થાય છે.