Get The App

અમદાવાદમાં 1 દિવસના નવજાતને કોરોના થયો, અઠવાડિયા અગાઉ માતા હતી સંક્રમિત

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં 1 દિવસના નવજાતને કોરોના થયો, અઠવાડિયા અગાઉ માતા હતી સંક્રમિત 1 - image


Ahmedabad Covid 19: દેશ-દુનિયામાં કોરોનાના વધતા કેસને લઈને લોકોની ચિંતામાં વધારો થયો છે. આ દરમિયાન એક ચોંકવાની માહિતી સામે આવી છે. જેમાં અમદાવાદમાં એક દિવસના નવજાતને કોવિડ પોઝિટિવ આવ્યો છે. જોકે, બાળકની માતાનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, બાળક જન્મ્યુ ત્યારે માતા કોવિડ પોઝિટિવ હતી પરંતુ બાળકના જન્મ બાદ માતાનો ફરી રિપોર્ટ કરતા માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ, બાળકનું વજન ઓછું હોવાના કારણે તેને NICUમાં રાખવામાં આવ્યું છે. 

સોલા સિવિલમાં 2 કોરોનાના દર્દી લઈ રહ્યા છે સારવાર

હાલ, અમદાવાદના સોલા સિવિલમાં 2 કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર થઈ રહી છે. જેમાંથી એક નવજાત બાળક છે અને અન્ય એક 23 વર્ષની મહિલા છે. હાલ, બાળક અને મહિલા બંનેને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારના નામની કરી જાહેરાત

8 મહિનાના બાળકને થયો કોરોના

નોંધનીય છે કે, અસરવા સિવિલ હોસ્પિટલમાં પણ એક 8 મહિનાનું બાળક કોવિડ પોઝિટિવ આવ્યું છે. અનેક તકલીફોના કારણે બાળકને હાલ ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે. અસરવા સિવિલમાં 8 મહિનાના બાળક સિવાય અન્ય બે દર્દી પર કોરોનાની સારવાર લઈ રહ્યા છે. 

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને 223 થઈ ગયો છે. આમ, છેલ્લા 3 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં બમણા જેટલો વધારો થયો છે. રાહતની વાત એ છે કે, 223 પૈકી માત્ર 11 દર્દી જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. આ સિવાય અન્ય દર્દીઓ ઘરે જ સારવાર લઇ રહ્યા છે. 

આ પણ વાંચોઃ વડોદરાના હાઈવે પરથી દારૂ ભરેલી કારની તપાસમાં ખુલેલા નામ બાદ બુટલેગરના આગોતરા જામીન નામંજૂર

અમદાવાદમાં કુલ પાંચ દર્દીઓ

ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના 109 દર્દીઓ હતા. જેની સરખામણીએ હવે દર્દીઓનો આંક હવે બે ગણો વધી ગયો છે. હાલ સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હોય તેમાં અમદાવાદ 145 સાથે મોખરે છે. અમદાવાદમાં કુલ પાંચ દર્દીઓ હાલ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં અસારવા સિવિલમાં 3 દર્દીઓ છે. જેમાં 44 વર્ષીય પુરૂષ, 67 વર્ષીય મહિલા અને 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. આ સિવાય સોલા સિવિલમાં બે દિવસનું નવજાત બાળક અને 23 વર્ષની મહિલા કોરોનાની સારવાર લઈ રહ્યા છે. 

શું છે રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ? 

ગુજરાતમાંથી અન્યત્ર રાજકોટ કોર્પોરેશનમાં 23, જામનગર કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશનમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો જામનગરમાં 11, સુરતમાં 9, ભાવનગર કોર્પોરેશનમાં 7, કચ્છ-મહેસાણામાં 6-6, ગાંધીનગર કોર્પોરેશનમાં 5, બનાસકાંઠા-ભાવનગર ગ્રામ્ય-જૂનાગઢ-ખેડામાં 2-2 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. 

કોરોનાના તમામ દર્દીઓના સેમ્પલ હાલ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે. જેના આધારે તેમને કયો વેરિયન્ટ છે તે ચકાસાય છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડૉક્ટરોના મતે, શંકાસ્પદ લક્ષણ દેખાય તેમણે ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે.


Tags :