Get The App

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત 1 - image


Bee Attack In Amreli: અમરેલીના મોટી કુકાવાવ ખાતે ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ(ICDS)ની તાલીમ દરમિયાન અચાનક મધમાખીનું પોડું પડ્યું હતું. જેમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીઓએ હુમલો કરી દીધો હતો. 

કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો

મળતી માહિતી મુજબ, અમરેલીના મોટી કુકાવાવમાં બાલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં લીમડાના વૃક્ષ પરથી મધમાખીનું પોડું પડતા ICDSની ચાલી રહેલી તાલીમ દરમિયાન મહિલાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જેમાં 25 જેટલી આંગણવાડીની બહેનોને મધમાખીઓએ ડંખ માર્યા હતા. 

આ પણ વાંચો: મૃતકની આત્માએ પોતાને જ અપાવ્યો ન્યાય? અમદાવાદમાં 34 વર્ષ બાદ ઉકેલાયો હત્યાનો કેસ, ઘરમાં 20 ફૂટ ઊંડે મળ્યું હાડપિંજર

સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત બહેનોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં 19 જેટલી બહેનોને સારવાર બાદ રજા આપી દેવાઈ હતી. જ્યારે 6 જેટલી બહેનોને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓબ્ઝર્વરમાં રાખવામાં આવી છે.