સુધારેલા સ્ટેમ્પ એક્ટ હેઠળ પણ 50 ચો.મી.થી નાના ફ્લેટ ઉપર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલી ના શકાય
ક
Gujarat News: ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા 50 ચોરસ મીટરથી નાના અને અન્ય વિસ્તારમાં 100 ચોરસ મીટર સુધીના ફ્લેટ કે મકાનના અત્યારે થતાં વેચાણ પર ગેરકાયદે રીતે સ્ટેમ્પ ડ્યૂટી અને પેનલ્ટી વસૂલી રહ્યા છે. 1982થી 1999 દરમિયાન સ્ટેમ્પ ડ્યૂટી લેવાતી જ નહોતી. પરંતુ 2025માં સ્ટેમ્પ ડ્યૂટી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો તે પછી નાયબ કલેક્ટરની કચેરીમાં દસ્તાવેજ રજિસ્ટર કરાવવા જાય ત્યારે આપવામાં આવતા ડિક્લેરેશનને જોઈને તેઓ 50 મીટરથી નાના અને અન્ય શહેરોના વિસ્તારના 100 મીટર સુધીના મકાનો પર પણ ગેરકાયદેસર સ્ટેમ્પ ડયૂટી વસૂલી રહ્યા છે. કારણ કે સુધારેલા સ્ટેમ્પ એક્ટમાં પણ છ મોટા શહેર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગર તથા ભાવનગરમાં 50 ચોરસ મીટરથી નાના અને અન્ય શહેરમાંના 100 ચોરસ મીટર સુધીના ફ્લેટ પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવી તેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગુજરાત સ્ટેમ્પ એક્ટમાં 2025માં કરવામાં આવેલા સુધારામાં આ અંગેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવેલો ન હોવા છતાંય તેઓ સ્ટેમ્પ ડ્યૂટી અને 300 ટકા પેનલ્ટી વસૂલી રહ્યા છે.
ગેરકાયદે વસૂલી કરે છે
મહેસાણાના સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટરે 13મી જુલાઈ 2021ના કરેલા પરિપત્ર પછી આ વિવાદનો આરંભ થયો છે. 27 એપ્રિલ 1982 પછી અને 1999 સુધી એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટ અને પઝેશન લેટર પર વેચાયેલી તમામ મિલકતોના માલિક અત્યારે તેમની મિલકત વેચે તો તેમની પાસેથી તે સમયની મિલકતના વર્તમાન ભાવ ગણીને જે તે સમયના દર પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવી રહી છે. સ્ટેમ્પ ડ્યૂટીના કાયદાના જાણકારોનું કહેવું છે કે, આ વસૂલી ગેરકાયદે છે. જૂની વ્યવસ્થા હેઠળ છ મોટા શહેરના 50 ચોરસ મીટરથી નાના અને તે સિવાયના વિસ્તરોમાં 100 ચોરસ મીટરથી નાના મકાનો પર સ્ટેમ્પ ડ્યૂટી લેવામાં જ આવતી નહોતી તો હવે તેના પર સ્ટેમ્પ ડ્યૂટી કેવી રીતે વસૂલી શકાય.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં કેનાલ પર ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓનો ધેરાવો કયો
39 વર્ષ પછી સ્ટેમ્પ એક્ટમાં સુધારો
1982થી 2021 સુધી 39 વર્ષ સુધી ચૂપ રહ્યા બાદ ગુજરાત સરકારે સ્ટેમ્પ એક્ટમાં સુધારો કરીને 39 વર્ષ તેમ જ બોમ્બે નોન ટ્રેડિંગ કોર્પોરેશન એક્ટ હેઠળ 4 એપ્રિલ 1994થી વેચાયેલી મિલકત પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવા માંડી છે. આ ગાળામાં કોમ્પ્રટ્રોલર જનરલ કે અન્ય વિશ્લેષકોએ ક્યારેય ઓબ્જેક્શન લીધું નથી. તેથી આ પ્રકારની વસૂલી ન કરાય તેવી સહજ માન્યતા હતી. પરંતુ ગુજરાતની વર્તમાન સરકારે 39 વર્ષ પછી સ્ટેમ્પ એક્ટમાં સુધારો દાખલ કરીને લોકોની હાલાકી વધારી દીધી છે. વડોદરાના સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટે પણ આ મુદ્દે સ્પષ્ટતા માગી હતી, પરંતુ પંદરથી વધુ વર્ષ સુધી કોઈ જસ્પષ્ટતા કરવામાં આવી નહોતી. તેમણે સ્પષ્ટતા માગી તેના 16 વર્ષ સુધી સરકારે મૌન સેવ્યું હતું. આમ એકાએક 39 વર્ષ પછી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનું કારણ શું છે તે લોકો સમજી શકતા જ નથી. તેમાંય પાછલી મુદતથી સ્ટેમ્પ ડયૂટી વસૂલવાનું ચાલુ કરવામાં આવ્યું તે અનુચિત જણાઈ રહ્યું છે. જનતા માટે લિમિટેશન એક્ટની જોગવાઈ લાગુ કરતી ગુજરાત સરકાર ખુદ લિમિટેશન એક્ટની જોગવાઈનો ભેગ કરી રહી છે.
આ પણ વાંચોઃ બાઈક સ્લીપ થતાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનું મોત નીપજ્યું
લિમિટેશન એક્ટની જોગવાઈનો પણ ભંગ ગણાય
લિમિટેશન એક્ટ 1963માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કોઈપણ પગલું લેવા માટેની કોઈ ચોક્કસ સમય મર્યાદા હોય છે. આ મર્યાદા વીતિ ગયા પછી જે તે બાબતમાં કોઈ જ પગલાં લઈ શકાતા નથી. અનિશ્ચિત કાળ સુધી વિવાદ ચાલ્યા ન કરે તે હેતુથી લિમિટેશન એક્ટ 1993 ઘડવામાં આવ્યો હતો. કોઈપણ જાતના ક્લેઇમ કરવા માટે ત્રણ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. કોર્ટે જ કોન્ટ્રાક્ટને લગતા ક્લેઈમ હોય તો તેને માટે 12 વર્ષની મર્યાદા રાખી છે. બાર વર્ષ પછી કોઈ ક્લેઇમ મૂકી શકે નહીં કે પછી કેસ પણ કરી ન શકે. સ્થાવર મિલકત માટે બાર વર્ષની મર્યાદા બાંધી આપવામાં આવી છે. ગુજરાત સરકાર 39 વર્ષ બાદ એટલે કે 1982 પછી અને 1999માં વેચાયેલી પ્રોપર્ટી અત્યારે નવેસરથી વેચાય તો તેના પર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલી રહી છે. તેમ જ સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ઉપરાંત ત્રણ ગણો દંડ વસૂલી રહી છે.