For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ કચ્છ હાઈવે પર ભયાનક અકસ્માત, દલવાડી સમાજના ચાર લોકોને કાળ ભરખી ગયો

ઈકો કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારીને ખાઈમાં પડી હતી

પરિવાર લગ્ન સમારોહમાં હાજરી આપીને પાછો પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો

Updated: Feb 18th, 2024

અમદાવાદ કચ્છ હાઈવે પર ભયાનક અકસ્માત, દલવાડી સમાજના ચાર લોકોને કાળ ભરખી ગયો

Horrific accident on Ahmedabad Dhrangadhra highway : ગુજરાતમાં હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે ધ્રાંગધ્રા નજીક અમદાવાદ કચ્છ હાઈવે પર  ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દલવાડી સમાજના લોકો લગ્ન સમારોહમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ અકસ્માતની ઘટના બની હતી.  મૃતકોમાં બે મહિલા અને બે પુરુષો છે. 

એક જ પરિવારના ચાર લોકોના મોત થયા 

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પાસે અમદાવાદ કચ્છ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. ઈકો કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારીને ખાઈમાં પડી હતી. કારમાં એક જ પરિવારના પાંચ સભ્યો લગ્ન સમારોહમાં હાજરી આપીના પાછા પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર પાંચેય લોકો દલવાડી સમાજના હતા. હાલ અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ, ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ, રાધાબેન નીલકંઠ ભાઇ જાદવ, ધનેશભાઈ બાબુભાઈ ચાવડાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. 

Article Content Image

Gujarat