Get The App

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની 'સર્જરી' કરાઈ, સમજો ભાજપનું ગણિત!

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની 'સર્જરી' કરાઈ, સમજો ભાજપનું ગણિત! 1 - image


Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં હાલ રાજકીય પરિસ્થિતિ વધુને વધુ પ્રવાહી બની રહી છે. ભાજપથી વિમુખ થઈ રહેલી જનતાએ હવે વિપક્ષ તરફ નજર માંડી છે. આ જોતાં ભાજપે નાછૂટકે મંત્રીમંડળની રાજકીય સર્જરી કરવા મજબૂર થવુ પડયું છે. આખરે જાતિગત સમીકરણ આધારે મંત્રીપદ આપી લોકોમાં રોષ ઠારવા ભાજપે મથામણ કરવી પડી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ

ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફાર

ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર કરવા પાછળ ભાજપની ગણતરી એ છે કે, છેલ્લાં ઘણાં સમયથી સરકાર-સંગઠન વચ્ચે મોટી ખાઈ પડી છે. ખુદ ભાજપના ધારાસભ્ય-સાંસદો જ સરકાર વિરોધી હોય તેવું ચિત્ર ઊભું થયુ છે. દક્ષિણ ગુજરાતને વધુ પ્રતિનિધિત્વ અપાતાં અન્ય પ્રદેશોને વંચિત રખાયા હોય તેવું લોકો અનુભવી રહ્યા છે જેથી સ્થાનિકો સરકારથી નારાજ છે.

આ પણ વાંચોઃ વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશનર

ગુજરાતને મળશે નાયબ મુખ્યમંત્રી? 

આ ઉપરાંત પાટીદાર, કોળી, ઓબીસી, એસસી-એસટી સહિત અન્ય જ્ઞાતિને પૂરતુ પ્રતિનિધિત્વ મળી શક્યું નથી. આ જોતાં રાજકીય સમીકરણો બંધબેસતા નથી. વર્તમાન મંત્રીઓ-પરફોર્મન્સ ખૂબ જ નબળુ રહ્યું છે. લોકોના પ્રશ્ન હલ કરવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે. આ જોતાં સરકારની કાર્યક્ષમત વધારવા માટે યુવા અને નવા ચહેરા-મંત્રીપદ આપવું જરૂરી બન્યું છે. આ જોતા જ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પણ કોન્સેપ્ટ અજમાવાય તો નવાઈ નહી. સ્થિતિને થાળે પાડવા માટે જ ભાજપના આલા નેતાઓએ ગાંધીનગર દોડી આવવુ પડ્યું હતું.

Tags :