ગુજરાતમાં આજે કોરોનાનાં 23 કેસ, 21 દર્દી સાજા થયા, રિક્વરી રેટ 98.75 ટકા
Updated: Aug 1st, 2021
ગાંધીનગર, 1 ઓગસ્ટ 2021 રવિવાર
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે હાંફતી જોવા મળે છે, કરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે, દરમિયાન 21 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધી 254 કુલ એક્ટિવ છે. હાલ 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 249 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,570 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે આજે કોરોનાનાં કારણે એક પણ મોત થયું નથી, તેથી કુલ મૃત્યુઆંક 10076 પર સ્થિર છે. રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ મુજબ છે, જેમાં અમદાવાદ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 2, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરામાં 1 કેસનો સમાવેશ થાય છે.
રાજ્યનાં કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18040 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 47903 નાગરિકોને પ્રથમ ડોઝ અને 138772 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 57228 નાગરિકોને રસીનો પ્રથમ અને 111509 નાગરિકોને રસીનો બોજો ડોઝ અપાયો છે. આ પ્રકારે 3,73,452 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,36,37,830 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.