Get The App

કેન્દ્ર સરકારના વિભાગોમાં ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓની નિમણૂક

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
કેન્દ્ર સરકારના વિભાગોમાં ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓની નિમણૂક 1 - image


Gujarat Cadre IAS Officer Deputation: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર ઓર્ડર મુજબ, કેન્દ્ર સરકારના કેબિનેટની નિમણૂક સમિતિના સચિવાલય દ્વારા ગુજરાત કેડરના ચાર IAS અધિકારીઓની કેન્દ્રમાં જુનિયર સચિવ પદે નિમણૂક માટે સૂચના આપવામાં આવી છે. મનિષા ચંદ્રા, કે કે નિરાલા, સૈદિંગપુઈ છાકછુઆક અને સુપ્રીત સિંહ ગુલાટી આગામી પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી જશે.

નિયમિત ડેપ્યુટેશન હેઠળ નિમણૂક પામેલા અધિકારીઓ

1. મનિષા ચંદ્રા, IAS બેચ 2004  

હાલમાં પંચાયત, ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગમાં સચિવ તરીકે કાર્યરત મનિષા ચંદ્રાની નિમણૂક સંરક્ષણ ઉત્પાદનો વિભાગ નવી દિલ્હીમાં સંયુક્ત સચિવ તરીકે કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કાયમ મુંબઈથી જતા ડૉક્ટર દંપતીએ અમદાવાદથી લંડન જવાનું નક્કી કર્યુંને કાળનો કોળીયો બન્યાં

2. કે કે નિરાલા, IAS બેચ 2005  

વિત તંત્ર ખર્ચ વિભાગના સચિવ તરીકે કાર્યરત કે કે નિરાલાની નિયુક્તિ માહિતી અને પ્રસારણ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે કરવામાં આવી છે.

3. સૈદિંગપુઈ છાકછુઆક, IAS બેચ 2008

ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપતા આ અધિકારીની નિમણૂક માનવ અધિકાર આયોગ ગૃહ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે થઈ છે.

આ પણ વાંચોઃ વિંછિયાના ફુલઝરમાં ચોંકાવનારી ઘટના : હરીફ ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી સંરપંચ બિનહરિફ જાહેર

4. સુપ્રીત સિંહ ગુલાટી, IAS બેચ 2008  

ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઑફ ગુજરાત DSAGના CEO તરીકે સેવા આપતા ગુલાટીની નિયુક્તિ અંકશાસ્ત્ર અને કાર્યક્રમ અમલ મંત્રાલય નવી દિલ્હી ખાતે સંયુક્ત સચિવ તરીકે થઈ છે.

આ ચારેય અધિકારીઓની કેન્દ્રમાં પાંચ વર્ષ કે વધુ સમય માટે પોતાની ફરજ નિભાવશે. આ હુકમ કમલ દયાણી અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.

Tags :