Get The App

વિંછિયાના ફુલઝરમાં ચોંકાવનારી ઘટના : હરીફ ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી સંરપંચ બિનહરિફ જાહેર

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
વિંછિયાના ફુલઝરમાં ચોંકાવનારી ઘટના : હરીફ ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી સંરપંચ બિનહરિફ જાહેર 1 - image


Panchayant Election: વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ગ્રામ પંચાયતની જુદા-જુદા વોર્ડની સમગ્ર પેનલ અગાઉ જ બિનહરિફ થઈ હતી. પરંતુ ફુલઝર ગ્રામ પંચાયત સરપંચપદ માટે ચનાભાઈ કરશનભાઈ વાળોદરા તથા અમૃતભાઈ પુનાભાઈ પરમાર એમ કુલ બે ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. આ દરમિયાન ચનાભાઈએ ચૂંટણીના નિયમો મુજબ તેમના ઉમેદવારી ફોર્મ સાથે તેમના ઘરે શૌચાલય હોવાનું એકરારનામું રજૂ કર્યું હતું. ચકાસણીના દિવસે ચૂંટણી તંત્રમાં વાંધો રજૂ કરી જણાવાયું હતું કે ચનાભાઈએ ખોટું એકરારનામું રજૂ કર્યું છે. ખરેખર તેમના ઘરે શૌચાલય નથી.

આ ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીએ તલાટી મંત્રી દ્વારા તપાસ કરતા તેમના ઘરે શૌચાલય ન હોવાનું ખુલતા તેમનું ફોર્મ રદ થયું હતું. જેને કારણે સરપંચપદે અમૃતભાઈ પરમાર બિનહરીફ થયા હતાં. આમ સરપંચ તથા સભ્યો ચૂંટણી પૂર્વે બિનહરીફ થતા ગ્રા.પં. સમરસ બની છે.

Tags :