Gujarat

છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માગ

By GS TEAM
6 May 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના ખેડૂતો માટે આર્થિક આફત સમાન પરિસ્થિતિ ઊભી થઈ છે. મગની ખેતી કરતા ખેડૂતો નકલી અથવા ગુણવત્તા વિહિન બિયારણના કારણે ભારે નુકસાન ભોગવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, વેપારીઓ દ્વારા છેતરપિંડી કરી નકલી બિયારણ વેચવામાં આવ્યું હોવાથી પાક નિષ્ફળ ગયો છે. આ મામલે ખેડૂતોએ તંત્ર પાસે ન્યાય અને યોગ્ય તપાસની માગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માગ

Fake Mung Bean Seeds Scam In Chhota Udepur: છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના ખેડૂતો માટે આર્થિક આફત સમાન પરિસ્થિતિ ઊભી થઈ છે. મગની ખેતી કરતા ખેડૂતો નકલી અથવા ગુણવત્તા વિહિન બિયારણના કારણે ભારે નુકસાન ભોગવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, વેપારીઓ દ્વારા છેતરપિંડી કરી નકલી બિયારણ વેચવામાં આવ્યું હોવાથી પાક નિષ્ફળ ગયો છે. આ મામલે ખેડૂતોએ તંત્ર પાસે ન્યાય અને યોગ્ય તપાસની માગ કરી છે.

ગુણવત્તા વિહિન બિયારણ પધરાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ

વારંવાર કુદરતી આફતોનો સામનો કરતા ખેડૂતોને આ વખતે માનવ સર્જિત સમસ્યાનો માર સહન કરવો પડી રહ્યો છે. બોડેલી તાલુકાના મોરખલા ગામના ખેડૂતોએ મગનું વાવેતર કર્યું હતું, પરંતુ બે મહિના વીતી ગયા છતાં પણ પાક પર શિંગો દેખાઈ નથી. ખેડૂતોએ જે બિયારણ વાવ્યું હતું તેમાં યોગ્ય વૃદ્ધિ ન થતાં તેમની ચિંતા વધી છે. ખેડૂતોના કહેવા મુજબ, એક જ ખેતરમાં બે અલગ અલગ કંપનીના બિયારણ વાવવામાં આવ્યા હતા. જેમાં એક બિયારણમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે અને શિંગો પણ લાગી ગયા છે. જ્યારે બીજા બિયારણમાં કોઈ વિકાસ થયો નથી. આથી ખેડૂતો સીધો આક્ષેપ કરી રહ્યા છે કે, તેમને નકલી-ગુણવત્તા વિહિન બિયારણ આપવામાં આવ્યું છે. આશરે 10 વિઘામાં મગનું વાવેતર કરનાર ખેડૂતે વેપારીને જાણ કરતાં તેમણે ઉદ્ધત જવાબ આપ્યો હતો. 

બિયારણ વેપારીએ શું કહ્યું?

સમગ્ર મામલે બિયારણના વેપારીએ જણાવ્યું હતું કે, બિયારણ બિલથી ખરીદવામાં આવ્યું છે અને પાકમાં સમસ્યા અન્ય કારણોસર પણ થઈ શકે છે. જેમ કે ટ્રીટમેન્ટ ન કરવી અથવા રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવી. જો કે, ખેડૂતો આ દલીલોને નકારી રહ્યા છે અને યોગ્ય તપાસની માગ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: VIDEO | 'કેસર' કેરીના 'કેસરી' રક્ષક: ધારીના ઝર ગામમાં સિંહ પરિવાર બન્યો આંબાવાડીનો ચોકીદાર, ભાગ્યે જ જોવા મળે તેવા દ્રશ્યો

નકલી બિયારણ મામલે તંત્રમાં ખેડૂતોની રજૂઆત

નકલી બિયારણ મામલે ખેડૂતો તંત્ર પાસે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન વધુ ગંભીર બની શકે છે. હવે જોવું એ રહ્યું કે, તંત્ર આ મામલે કેટલી ઝડપી અને અસરકારક કાર્યવાહી કરે છે.