જળયાત્રા ઉત્સવને લઈને દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર, મંદિરે જતાં પહેલા જાણી લો સમય
Dwarkadhish Temple: દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂનમના દિવસે (11મી જૂન) જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે અને સવારે 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે.
શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક-સ્નાન કરાશે
મળતી માહિતી અનુસાર, દ્વારકાધીશ મંદિરમાં 11 જૂન, બુધવારે પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રા ઉત્સવને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે, જે સવારે 8 વાગ્યા સુધી ચાલશે. 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક અને બાદમાં સ્નાન કરાવાશે. ત્યારબાદ બપોરે 1થી સાંજના 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, જ્યારે સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન થશે. સાંજે 5થી રાત્રિના 9.30 વાગ્યા સુધી જલયાત્રા ઉત્સવ ઊજવાશે, જેથી રાત્રે 9.30 વાગ્યે દર્શન બંધ રહેશે.