Get The App

જળયાત્રા ઉત્સવને લઈને દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર, મંદિરે જતાં પહેલા જાણી લો સમય

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
જળયાત્રા ઉત્સવને લઈને દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર, મંદિરે જતાં પહેલા જાણી લો સમય 1 - image


Dwarkadhish Temple: દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પૂનમના દિવસે (11મી જૂન) જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે અને સવારે 8 વાગ્યા સુધી મંગલા દર્શન થશે.

જળયાત્રા ઉત્સવને લઈને દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર, મંદિરે જતાં પહેલા જાણી લો સમય 2 - image

શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક-સ્નાન કરાશે

મળતી માહિતી અનુસાર, દ્વારકાધીશ મંદિરમાં 11 જૂન, બુધવારે પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રા ઉત્સવને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6 વાગ્યે મંગલા આરતી થશે, જે સવારે 8 વાગ્યા સુધી ચાલશે. 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક અને બાદમાં સ્નાન કરાવાશે. ત્યારબાદ બપોરે 1થી સાંજના 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, જ્યારે સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન થશે. સાંજે 5થી રાત્રિના 9.30 વાગ્યા સુધી જલયાત્રા ઉત્સવ ઊજવાશે, જેથી રાત્રે 9.30 વાગ્યે દર્શન બંધ રહેશે. 

આ પણ વાંચો: વડોદરા રક્ષિત કાંડઃ પોલીસે 12 લોકોના નિવેદન નોંધી દાખલ કરી ચાર્જશીટ, 140ની ઝડપે ગાડી ચાલતી હોવાનો થયો ખુલાસો

નોંધનીય છે કે, વર્ષમાં માત્ર બે વખત જ શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક-સ્નાન કરવાય છે. જે પૈકી એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્ત્વ છે. આ દરમિયાન સવારે જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શન યોજાતા હોય છે.

જળયાત્રા ઉત્સવને લઈને દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર, મંદિરે જતાં પહેલા જાણી લો સમય 3 - image

Tags :