વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટાના સુબેદાર કંપાઉન્ડ આસપાસ છેલ્લા કેટલાય દિવસથી ગટરોના ગંદા પાણી ઉભરાઈને નદીની જેમ વહી રહ્યા છે. આ અંગે સત્વરે કાર્યવાહી નહીં થાય તો આંદોલન સહિત પાલિકા કચેરીએ અને સ્થાનિક કોર્પોરેટરોના ઘરે આવા ગંદા પાણી પહોંચાડવાની ચીમકી અપાઈ હતી.
ઉલ્લેખનિય છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા પાસેના સુબેદાર કંપાઉન્ડ આસપાસ છેલ્લા કેટલાય દિવસોથી ગટરોના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે આ અંગેનો કોઈ નિકાલ હજી સુધી આવ્યો નથી. ગટરોના ગંદા પાણીથી વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત પસાર થતાં વાહનોથી ગંદા પાણીના છાંટા ઉડતા રોજિંદી તકરારના દ્રશ્યો અવારનવાર સર્જાયા કરે છે. વિસ્તારના 200 મીટર દૂર જેટલા અંતરે પૂર્વ કોર્પોરેટરોના મકાનો આવેલા છે છતાં પણ કાયમી ધોરણે પ્રશ્નના ઉકેલ માટે માત્ર વાયદાઓ કરવામાં આવે છે. હવે જો આ બાબતે આગામી દિવસોમાં કોઈ નિકાલ નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી સહિત પાલિકા કચેરીએ અને સ્થાનિક કોર્પોરેટરોના ઘરે ગટરના ગંદા પાણી અપાશે. ગટરના ગંદા પાણીના કારણે નાના બાળકોમાં પણ પાણીજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત મચ્છરોનો રોજિંદો ત્રાસ પણ સ્થાનિકોને સહન કરવો પડતો હોવાથી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે એવી લોક માંગ છે.








