Get The App

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું 1 - image

- ઓજ ઈન્સ્ટીટયુટ 16 અને જ્ઞાનમંજરીના 14 વિદ્યાર્થીઓએ પર્સન્ટાઈલ મેળવી ડંકો વગાડયો

ભાવનગર : ધો.૧૨ એ ગુ્રપના વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ ક્ષેત્રે પ્રવેશ મેળવવા લેવાતી જેઈઈ મેઈન્સની પરીક્ષા ગઈ તા. ૨૨થી ૨૯ જાન્યુ. દરમ્યાન લેવાઈ હતી જેમાં ભાવનગર સ્થિત બે સેન્ટર પર ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષાનું પરિણામ જાહેર  થવા પામ્યું છે. જેમાં શહેરની ઓજ ઈન્સ્ટીટયુટનાં ૧૬ અને જ્ઞાન મંજરી સ્કુલનાં ૧૪ વિદ્યાર્થીઓએ ૯૯ પર્સન્ટાઈલ મેળવ્યા હતા આ ઉપરાંત અન્ય શૈક્ષણીક સંકુલોનાં છાત્રોએ પણ ઝળહળતી સિધ્ધિ મેળવી હતી. જ્યારે આગામી એપ્રિલનાં અંતિમ વીકથી જેઈઈ સેકન્ડ પરીક્ષા યોજાશે. 

ઓજ ઈન્સ્ટીયટયુટના નિવાને 99.98 પર્સન્ટાઈલ મેળવ્યા

શહેરની ઓજ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સનાં નિવાન પટેલે ૯૯.૯૮ પર્સન્ટાઈલ મેળવી ભાવનગર પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે શિવ પંડયાએ ૯૯.૯૫ પ.રા.મેળવી બીજુ સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓજ ઈન્સ્ટીટયુટનાં ૧૬ વિદ્યાર્થીઓએ ૯૯ પર્સન્ટાઈલ અને તેથી વધુ સ્કોર કરવામાં સપળતા મેળવી હતી. જેની પાછળ વિદ્યાર્થી - વાલીની મહેનત સાથે ફેકલ્ટીનાં યોગ્ય માર્ગદર્શનનું પરિણામ હોવાનું ચેરમેન નીરવ દવેએ જણાવ્યું હતું. 

જ્ઞાાનમંજરી વિદ્યાપીઠનાં ૧૪ વિદ્યાર્થીઓની સિધ્ધિ

રાષ્ટ્રીય સ્તરની જેઈઈ મેઈન પરીક્ષામાં સંસ્થાની ગુણવત્તાભરી તૈયારી અને અનુભવી ફેકલ્ટીનાં માર્ગદ્રશન હેઠળ વિદ્યાર્થીની મહેનત રંગ લાવી હતી અને સંસ્થાનાં ૧૪ વિદ્યાર્થીઓએ ૯૯ અપ પર્સન્ટાઈલ મેળવી અઘરી ટાસ્કમાં સિધ્ધિ મેળવી હતી. 

સરદાર પટેલ ઈન્સ્ટીટયુટનું જેઈઈમાં ઉત્તમ પ્રદર્શન

જેઈઈ મેઈનની પરીક્ષામાં સંસ્થાના પ્રતિભાશાળી વિદ્યાર્થી સાંઘાણી ચિરાયુએ ૯૯.૫૭ અને ભડિયાદ્રા વામને ૯૯.૪૫ પર્સન્ટાઈલ મેળવ્યા હતા. જેઓએ પોતાની મહેનત, શિસ્ત અને શાળાની અનુભવી ફેકલ્ટી આધુનિક શિક્ષણ પધ્ધતિ અને પ્રતિબદ્ધતાનો શ્રેષ્ઠ પુરાવો આપ્યો હતો. તેમ જે.પી. મૈયાણીએ જણાવ્યું હતું. 

વિદ્યાધીશ વિદ્યાસંકુલનાં ૮ છાત્રોએ જેઈઈમાં ૯૯ પર્સન્ટાઈલ મેળવ્યા

તબક્કાવાર અને નિયમિત ફેકલ્ટીનાં માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી હતી અને જેઈઈમાં સંસ્થાનાં ૮ વિદ્યાર્થી ૯૯ પર્સન્ટાઈલ ૨૮ વિદ્યાર્થીઓએ ૯૮ પર્સન્ટાઈલ, ૬૩ વિદ્યાર્થી ૯૫ પર્સન્ટાઈલ પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ મેળવી હતી. જેમાં ૯૯ પ્લસમાં પટેલ જય, માલવીયા ર૨જ, રાવલ ધ્યેય, મારૂ સામ્ય, કણઝરીયા ધૃવિન, કટારિયા સહદેવ, ચાડ માધવ, ઝુલાસણા તીર્થનો સમાવેશ થાય છે. 

જ્ઞાનગરૂ વિદ્યાપીઠનાં તેજસ્વી તારલા ઝળક્યા

એન.ટી.એ. દ્વારા જાહેર કરેલ જેઈઈના પરીણામમાં જ્ઞાનગુરૂ વિદ્યાપીઠનાં રાઠોડ આર્યને ૯૯.૭૬, પર્સન્ટાઈલ સાથે ભાવનગરમાં ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. જ્યારે રાઠોડ આર્યન ત્રણે વિષયમાં ૯૯ ટકા પર્સન્ટાલ મેળવ્યા હતા તો પરીખ શ્રુત અને મકવાણા મહેશ પણ ૯૯ પર્સન્ટાલ સાથે સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. 

ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થી જેઈઈમાં ઝળક્યા

તળાજાના ટીમાણા ગામે આવેલ ગણેશ શાળાનાં વિદ્યાર્થીઓ જેઈઈમાં પણ મેદાન માર્યું પોતાની સફળ કારકિર્દીની કેડી કંડારી હતી. જાળેલા વૈદીક, ધાંદલીયા રૂદ્ર, ચૌહાણ હાર્દિક, પંડયા જયમીને ૯૮થી ૯૨ પર્સન્ટાઈલ મેળવી ગ્રામ્ય પંથકનાં છાત્રોએ શાળાનું નામ રોશન કર્યું હતું. 

સમત્વ સ્કૂલનાં પ્રથમે કેમેસ્ટ્રીમાં ૯૯ પર્સન્ટાઈલ મેળવ્યા

જેઈઈના જાહેર થયેલ પરીણામમાં સમત્વ હાયર સેકન્ડરી સ્કુલનાં ચુડાસમા પ્રથમે ૯૮.૭૯ પર્સન્ટાઈલ મેળવ્યા હતા. જ્યારે કેમેસ્ટ્રીમાં ૯૯ પાસ હાંસલ કરેલ આ ઉપરાંત સમગ્ર સ્કુલમાંથી ૮ વિદ્યાર્થીઓએ ૯૦ પર્સન્ટાઈલ મેળવી સંસ્થાનાં માર્ગદર્શન અને પોતાની મહેનતને સફળ બનાવી હતી. 

સિલ્વર બેલ્સ, અમર જ્યોત સ્કુલની સિધ્ધિ

જેઈઈ મેન્સમાં સંસ્થાનાં દેવર્ષ રાવલે ૯૯.૯૩ પર્સન્ટાઈલ મેળવ્યા હતા તો નમ્યા બટનવાલે ૯૯.૮૩ સાથે ગર્લ્સ ટોપર રહી હતી.કુલ ૪ વિદ્યાર્થી ૯૯ પ્લસ, ૨૦થી વધુ છાત્રોએ ૯૦ પ્લ્સ પર્સન્ટાઈલ મેળવી સંસ્થાની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેર્યું હતું. 

મુરલીધર કેરીયર ઈન્સ્ટીટયુટનો છાત્ર જેીઈમાં ઝળક્યો

ગામડામાં દુકાન ધરાવતા સામાન્ય પરિવારમાંથી આવેલ મોહિત ગીરી ગૌસ્વામીએ જેઈઈમાં ૯૪.૧૪ પર્સન્ટાઈલ મેળવી પોતાના માતા પિતાની આશા ઉજાગર કરવાની સાથે સંસ્થાના માર્ગદર્શન હેઠળ વિશેષ સિધ્ધી હાંસલ કરી હતી.