Gujarat

અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસઃ પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ

By GS TEAM
27 Aug 20252 mins read
TukuTouch Logo
અરવલ્લીમાંથી સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં દંપતીએ બાળક સાથે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં પતિનું મોત નિપજ્યું છે અને પત્ની તેમજ બાળક હાલ સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસઃ પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળ

File Photo



Aravalli Crime: અરવલ્લીમાંથી સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં દંપતીએ બાળક સાથે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં પતિનું મોત નિપજ્યું છે અને પત્ની તેમજ બાળક હાલ સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા: બે દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, બુધવારે (27 ઓગસ્ટ) વહેલી સવારે અરવલ્લીમાંથી પરિવાર દ્વારા સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી. પતિ-પત્નીએ બાળક સાથે માલુપર પાસેની વાત્રક નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે, સ્થાનિકોને આ વિશે જાણ થતા તુરંત પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ત્રણેયને નદીની બહાર કાઢવામાં આવ્યા. જોકે, આ દરમિયાન પતિનું મોત નિપજ્યુ હતું પરંતુ પત્ની તેમજ બાળકોના શ્વાસ શરૂ હતા. પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા પત્ની અને બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર

પોલીસે હાથ ધરી તપાસ

આ મામલે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ પત્નીનું નિવેદન અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટ આધારે કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરશે.