Get The App

અમદાવાદના વસ્ત્રાલમાં હિંસા મામલે ફરાર આરોપીનું ઘર તોડી પડાયું

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદના વસ્ત્રાલમાં હિંસા મામલે ફરાર આરોપીનું ઘર તોડી પડાયું 1 - image


Ahmedabad Demolition: અમદાવાદ મહાનગર પાલિકાએ શુક્રવારે (23 મે) વસ્ત્રાલ હિંસામાં ફરાર કુખ્યાત આરોપી પંકજ ભાવસારના ઘરને તોડી પાડ્યું છે. કામોલના સુમિન પાર્ક વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ સોમનાથ મંદિરે દર્શન કરવા જતાં ભક્તો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદથી શરૂ થશે વંદે ભારત ટ્રેન, જાણો સમય અને રૂટ

દોઢ મહિના પહેલાં ઘર ખાલી કરવાની આપી હતી નોટિસ

આ વિશે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે, 'નગર પાલિકાએ દોઢ મહિના પહેલાં જ નોટિસ આપીને ગેરકાયદે બાંધકામ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, દોઢ મહિના બાદ પણ પરિવાર તરફથી નોટિસનું પાલન કરીને ઘર ખાલી ન કરતા અંતે AMC દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાંધકામ શહેરી વિકાસના ધારા ધોરણ વિરૂદ્ધ હોવાના કારણે તોડી પાડવામાં આવ્યું છે.  સંપૂર્ણ કાર્યવાહી પોલીસ સુરક્ષા હેઠળ શાંતિપૂર્વક કરવામાં આવી રહી છે.'


આ પણ વાંચોઃ કોરોનાએ ફરી માથું ઉંચક્યું : અમદાવાદમાં છેલ્લા 22 દિવસમાં કોરોનાના 38 દર્દી, 31 એક્ટિવ કેસ

આરોપી પંકજ ભાવસાર હજુ ફરાર

નોંધનીય છે કે, તંત્રની આ કાર્યવાહીને અસમાજિક તત્ત્વો અને જાહેરમાં હિંસા કરનારા વ્યક્તિઓ સામે કરવામાં આવતી આકરી કાર્યવાહીના રૂપે જોવામાં આવે છે. જોકે, ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે પોલીસ કાફલાની સંખ્યા વધારવામાં આવી હતી. જોકે, હજુ સુધી આરોપી પંકજ ભાવસાર પોલીક પકડથી બહાર છે. પોલીસ આ ફરાર આરોપીને શોધી રહી છે. 

Tags :