Get The App

BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો 1 - image


Plane Crashes in Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થયાની બે મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ છે. આ વિમાનમાં સવાર તમામ 242 મુસાફરો પૈકી એક જ મુસાફર જીવિત હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ માહિતી આપી હતી કે, પોલીસને વિમાનમાં 11A નંબરની સીટ પર એક જીવિત મુસાફર મળ્યો છે.

આ વિમાનમાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા.

વિમાનમાં સવાર તમામ લોકોના મોત

આ પહેલા અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકે ન્યૂઝ એજન્સી APને જણાવ્યું હતું કે, ‘એવુ લાગી રહ્યું છે કે, આ વિમાન દુર્ઘટનામાં મોટા ભાગના મુસાફરો જીવિત રહ્યા નથી. વિમાન રહેણાક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેના કારણે કેટલાક સ્થાનિકોના પણ મોત થયા છે. કાટમાળ અને આગની સ્થિતિ જોતા સ્થિતિ ખૂબ જ પડકારજનક બની છે.’

આ પણ વાંચો : અમદાવાદમાં પ્લેન જ્યાં ક્રેશ થયું તે હોસ્ટેલના ભયાવહ દ્રશ્યો, વિમાનનો પાછળનો હિસ્સો ઈમારત પર જ દેખાયો

પોલીસને એક મુસાફર જીવિત મળ્યો: અમદાવાદ પોલીસ કમિશનર

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું છે કે, ‘આ વિમાન દુર્ઘટનામાં પોલીસ જવાનને 11A સીટ પર એક મુસાફર જીવિત મળ્યો છે.' પ્રાથમિક જાણકારી અનુસાર જીવિત બચેલા મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે.


મેઘાણીનગરમાં વિમાન ક્રેશ

ઉલ્લેખનીય છે કે, મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. પ્લેન ટેકઑફથી ક્રેશ થયાની 8 મિનિટમાં શું થયું અને કયા કારણે પાયલટને એક મિનિટનો પણ સમય ન મળ્યો. 

BIG NEWS | અમદાવાદ પ્લેન ક્રેશમાં 242 પૈકી એક મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો 2 - image

ફ્લાઈટે ટેકઑફ બાદ 625 ફૂટની ઊંચાઈએ સિગ્નલ ગુમાવ્યો

એર ઈન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે, આ વિમાન 11 વર્ષ જૂન છે. ગુરુવારે (12 જૂન)ની બપોરે 1:30 ટેકઑફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઈટ આધારે જોવા મળે છે કે 1:38 વાગ્યે પ્લેન રનવેના છેલ્લા ભાગમાં હતું અને પ્લેન ટેકઑફ થઈ ચૂક્યું હતું. ટેકઑફ બાદ 625 ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો હતું. જેમાં પ્લેનની ઊંડાન બાદ માત્ર 8 મિનિટ માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનની ઊભી ગતિ જોઈએ તો, પ્લેન 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન પાયલટ પાસે કંઈ કરવા માટે એક મિનિટ પણ નહોતો. 

આ પણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ | ઈજાગ્રસ્તોને બચાવવા ગ્રીન કોરિડોર બનાવાયો, CM ભૂપેન્દ્ર પટેલે જુઓ શું કહ્યું

Tags :