Get The App

તળાજામાં પગપાળા જતા વેપારીને ખાનગી બસ હડફેટે લેતા મોત

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
તળાજામાં પગપાળા જતા વેપારીને ખાનગી બસ હડફેટે લેતા મોત 1 - image

- શાકમાર્કેટમાં ચા નામે દુકાન ધરાવતા હતા

- દેવાસ્થાને પગપાળા  ર્શન કરવા માટે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

તળાજા : તળાજાની શાકમાર્કેટમા ચા અને કરીયાણાની દુકાન ધરાવતા વેપારી મહુવા ચોકડીથી આગળ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મહુવા રોડ તરફ ખાનગી ટ્રાવેલ્સની બંસ ના ચાલકે બેફિકરાઈથી બસ ચલાવી વેપારીને અડફેટે લેતા વેપારીનું મોત નિપજ્યું હતું.

મહુવા તાલુકાના બોરડી ગામના મૂળ વતની અને વર્ષોથી અહીંની બાલા જબ્બરની વાડી તરીકે ઓળખાતી દીનદયાળનગરની સોસાયટીમાં રહેતા નાગજીભાઈ રત્નાભાઈ રાઠોડ (ઉ.વ.૬૪ ) આજે તેઓના નિત્યક્રમ મુજબ તેઓના રાઠોડ પરિવારના દાદાનું દેવસ્થાન હોય પગપાળા જતા હતા.તેવામાં જયદીપ ટ્રાવેલ્સ બસ નં.જીજે ૧૧-ટીટી-૮૨૮૦ ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને પુરઝડપે ચલાવી પગપાળા જઈ રહેલા વેપારીને અડફેટે લીધા હતા વૃદ્ધ વેપારીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ થતાની સાથેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.