Gandhinagar

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ સાઈટ પર લોખંડનો સ્લેબ તૂટ્યો, 15 શ્રમિકોને બચાવાયા

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં 'બોસકી ધ એમ્પાયર' કોમર્શિયલ બિલ્ડિંગના ચોથા માળે સ્લેબ તૂટતાં દુર્ઘટના સર્જાઈ હતી. બુધવારે રાત્રે 9:15 કલાકે બનેલી આ ઘટનામાં 15 શ્રમિકો દટાયા હતા. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમે તમામ 15 શ્રમિકોને બચાવ્યા, જેમાં 12 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ સાઈટ પર લોખંડનો સ્લેબ તૂટ્યો, 15 શ્રમિકોને બચાવાયા

Gandhinagar Kudasan Commercial Building Collapse: ગાંધીનગર શહેરના વ્યસ્ત કુડાસણ વિસ્તારમાં નવી બની રહેલી 'બોસકી ધ એમ્પાયર' નામની કોમર્શિયલ બાંધકામ સાઈટ પર બુધવારે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અહીં બે યુનિટ વચ્ચે ઊભો કરવામાં આવી રહેલો લોખંડનો સ્લેબ અચાનક ધડાકાભેર નીચે તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. સવાર સુધીમાં તમામ 15 શ્રમિકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું. 12 શ્રમિક ઈજાગ્રસ્ત થયા હતા જેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે 3 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

બિલ્ડિંગમાં ચોથા માળે સેન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું તે સમયે તેનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું, ઘાયલ શ્રમિકોના દાવા મુજબ બિલ્ડિંગ નિર્માણમાં પ્રવીણ મેડા, શાહીલ અને યશ ચૌધરી નામના ત્રણ કોન્ટ્રાકટરો છે. જે ઘટના બની તે સમયે હાજર ન હતા તેવા આરોપ થઈ રહ્યા છે.


WhatsApp Image 2026-09-09 at 10.10.58 PM (1).jpeg

સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આશરે 15 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા


સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે આ સાઈટ પર આશરે 15 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર વિભાગની 5 થી વધુ ગાડીઓ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા કાટમાળ હટાવીને નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવાની યુદ્ધના ધોરણે કામગીરી ચલાવાઈ હતી.

image.png

રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં

આ અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સ સેવાઓની ટીમો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જેથી કાટમાળમાંથી બહાર કઢાયેલા ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી શકાય. જોકે, મોડી રાત સુધી પોલીસ કે ફાયર બ્રિગેડ દ્વારા કેટલા મજૂરો ફસાયા છે કે ઈજાગ્રસ્ત થયા છે તેની સત્તાવાર આંકડાકીય પુષ્ટિ કરવામાં આવી નહોતી પરંતુ સવાર સુધીમાં 15 શ્રમિકોને બચાવી લેવાયા હતા. હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કાટમાળ હટાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.