Get The App

પરેશ રાવલે હેરા ફેરી 3 છોડતા હજુ આઘાતમાં છે સુનિલ શેટ્ટી, કહ્યું- તેમના વિના ફિલ્મ કઈ રીતે બનશે?

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
પરેશ રાવલે હેરા ફેરી 3 છોડતા હજુ આઘાતમાં છે સુનિલ શેટ્ટી, કહ્યું- તેમના વિના ફિલ્મ કઈ રીતે બનશે? 1 - image


Image Source: Twitter

Hera Pheri 3 Controversy: અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'હેરા ફેરી 3' હાલમાં ચર્ચામાં છે. પરેશ રાવલે તાજેતરમાં જ આ ફિલ્મમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. સુનિલ શેટ્ટી પરેશ રાવલના આ નિર્ણયથી ખૂબ જ આશ્ચર્યચકિત અને દુઃખી છે. સુનિલ શેટ્ટીએ કહ્યું કે, હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે પરેશ રાવલ હવે 'હેરા ફેરી 3'નો હિસ્સો નથી, કારણ કે આ ફિલ્મ તેમના વિના બની જ ન શકે. ચાલો જાણીએ સુનિલ શેટ્ટીએ પરેશ રાવલ વિશે શું કહ્યું.

પરેશ રાવલે હેરા ફેરી 3 છોડતા આઘાતમાં સુનિલ શેટ્ટી

સુનિલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં આ ચોંકાવનારા સમાચાર પર પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે, 'આ તો ખૂબ જ આઘાતજનક છે.' અમે તાજેતરમાં હેરાફેરી 3 નો પ્રોમો શૂટ કર્યો અને તે સમય બિલ્કુલ પહેલા જેવો લાગ્યો. અક્ષય, પરેશ અને હું અમારા ત્રણેય વચ્ચે જે સમજણ હતી અને જે તાલમેલ હતો તે હજુ પણ અકબંધ હતો. હું હજુ પણ આઘાતમાં છું.'

પરેશ રાવલ સાથે મુલાકાત કરવા માગે છે સુનિલ શેટ્ટી

સુનિલ શેટ્ટીએ જણાવ્યું કે, 'મને પરેશ રાવલના ફિલ્મ છોડવાના સમાચાર સોશિયલ મીડિયા પરથી મળ્યા. મેં હમણાં જ વાંચ્યું કે પરેશ જી આ ફિલ્મ નથી કરી રહ્યા.' હું મુંબઈની બહાર હોવાથી અત્યાર સુધી તેમની સાથે વાત નથી કરી શક્યો. મારો પ્લાન છે કે, હું તેમની સાથે મુલાકાત કરું અને એ જાણવાનો પ્રયાસ કરું કે ખરેખર શું થયું. અત્યાર સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું.'

સુનિલ શેટ્ટીનો દીકરો અહાન પણ હેરાન રહી ગયો

આ સમાચાર માત્ર સુનિલ શેટ્ટીને જ નહીં પરંતુ તેના દીકરા અહાનને હેરાન કરી ગઈ. સુનિલે કહ્યું, 'અહાને મને એક ન્યૂઝ કટિંગ મોકલી અને પૂછ્યું કે પપ્પા, શું થયું? મારા બાળકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હેરાફેરી પોતાની ઓરિજનલ તિકડી વિના પહેલા જેવી નહીં રહે.'

બાબુ ભૈયા વિના ફિલ્મ અશક્ય

સુનિલ શેટ્ટીનું કહેવું છે કે, હેરા ફેરી 3 ફિલ્મને પરેશ રાવલ વિના, બાબૂ ભૈયાના પાત્ર વિના વિચારવી પણ મુશ્કેલ છે. '1% શક્યતા છે કે, તમે શ્યામ અને રાજુ વિના મેનેજ કરી લો, પરંતુ બાબુ ભૈયા વિના તે અશક્ય છે.'

આ પણ વાંચો: હેરા ફેરી 3 વિવાદ: પરેશ રાવલે અક્ષય કુમારની ટીમને પાઠવ્યો જવાબ, કહ્યું- હવે બધુ ઠીક થઈ જશે

સુનિલ શેટ્ટીએ 'હેરા ફેરી'નું શૂટિંગ (2000)ને યાદ કરતા કહ્યું, 'પ્રિયદર્શન સર અમને અમારા કપડાં પણ પ્રેસ નહોતા કરવા દીધા અને ન તો મેક-અપ કરવા દેતા.' શૂટિંગ દરમિયાન બ્રેકમાં અમને તેમણે અખબારો પર સૂવડાવી દીધા હતા. તેઓ બધુ જ અસલી બતાવવા માગતા હતા, એ જ તેની ખાસિયત છે. અક્ષય અને હું તે સમયે એક્શન માટે જાણીતા હતા અને પરેશજી નેગેટિવ રોલ્સ માટે જાણીતા હતા. પણ તેમણે અમારામાં કંઈક બીજું જોયું અને તે કામ કરી ગયું.'

શું પકંજ ત્રિપાઠી લેશે પરેશ રાવલનું સ્થાન?

હેરા ફેરી 3 અંગે તાજેતરમાં જ અફવાએ જોર પકડ્યું હતું કે, પકંજ ત્રિપાઠી પરેશ રાવલને રિપ્લેસ કરી શકે છે. જોકે, આ અંગે પકંજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યુમાં સત્યનો ખુલાસો કરતા કહ્યું કે, 'મેં પણ આ પ્રકારના સમાચાર વાંચ્યા, પરંતુ હું એવું નથી માનતો. પરેશ રાવલ જેવા શાનદાર કલાકાર સામે હું કંઈ પણ નથી. હું તેમનું ખૂબ સન્માન કરું છું અને મને નથી લાગતું કે, હું આ ભૂમિકા માટે પરફેક્ટ છું.'

Tags :