Entertainment

સંજય કપૂરની રૂ.30 હજાર કરોડની સંપત્તિ મામલે વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

By GS TEAM
25 Sep 20252 mins read
TukuTouch Logo
સંજય કપૂરની મિલકત અંગેનો વિવાદ હાલમાં દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. કરિશ્મા કપૂરના બાળકો, સમાયરા અને કિયાન, તેમજ સંજયની માતા અને તેની બહેને પ્રિયા સચદેવ વિરુદ્ધ સંજયના વસિયતનામામાં છેતરપિંડી અને છુપાવવાના આરોપનો મામલે કેસ દાખલ કર્યો હતો. આ મામલે કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી, જે દરમિયાન પ્રિયાએ સંજય કપૂરની સંપત્તિની યાદી સીલબંધ કવરમાં રજૂ કરવાની મંજૂરી માંગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સંજય કપૂરની રૂ.30 હજાર કરોડની સંપત્તિ મામલે વસિયત ગુપ્ત રાખવા માંગે છે ત્રીજી પત્ની, કોર્ટનો ઈનકાર

Sunjay Kapur Property Dispute: સંજય કપૂરની મિલકત અંગેનો વિવાદ હાલમાં દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. કરિશ્મા કપૂરના બાળકો, સમાયરા અને કિયાન, તેમજ સંજયની માતા અને તેની બહેને પ્રિયા સચદેવ વિરુદ્ધ સંજયના વસિયતનામામાં છેતરપિંડી અને છુપાવવાના આરોપનો મામલે કેસ દાખલ કર્યો હતો. આ મામલે કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી, જે દરમિયાન પ્રિયાએ સંજય કપૂરની સંપત્તિની યાદી સીલબંધ કવરમાં રજૂ કરવાની મંજૂરી માંગી હતી.

આ પણ વાંચો: સમીર વાનખેડેએ શાહરુખ ખાન વિરુદ્ધ દિલ્હી HCમાં કર્યો માનહાનિનો કેસ, આર્યન ખાનની વેબ સીરિઝને લઈને વિવાદ

કોર્ટમાં કોણે શું કહ્યું?

સુનાવણી દરમિયાન પ્રિયા સચદેવ કપૂરના વકીલે કહ્યું, 'મારી બસ એટલી જ વિનંતી છે કે, વસિયતનામાને સીલબંધ કવરમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે, જેથી આ માહિતી જનતા અને મીડિયા સુધી ન પહોંચે.' જોકે, કોર્ટે તેમની દલીલને ફગાવતા કહ્યું કે, 'જ્યારે તમે કોઈપણ મુકદ્દમામાં લેખિત જવાબ દાખલ કરો છો, ત્યારે બીજા પક્ષને પ્રતિદાવો દાખલ કરવા માટે આ માહિતીની જરૂર પડે. તેથી ત્યારે સીલબંધ કવરમાં કેટલી માહિતી રહેશે?'

આ પણ વાંચો: શાહરુખ ખાન સાથે હેન્ડશેક બાદ મેં હાથ જ ના ધોયા, અભિનેત્રીનો ચોંકાવનારો દાવો

'કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, આ મુશ્કેલ છે'

જેના જવાબમાં સચદેવના વકીલે કહ્યું કે, 'તેમાં ઘણી બધી માહિતી છે, જે જાહેર ન થવી જોઈએ. હું તેને બધા સાથે શેર કરવા તૈયાર છું, માત્ર તેને ગુપ્ત રાખો.' જોકે કોર્ટે તેના પર સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. વકીલે ફરી કહ્યું કે, હું માત્ર બે પાના સીલબંધ કવરમાં રાખવાની માંગણી કરુ છું.' કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, આ મુશ્કેલ છે, કારણ કે જેમને લાભ મળશે તેમને સંપત્તિ પર પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર છે, જેમ કે આ કોઈ પણ મામલે થાય છે. જો તેમને તપાસ કરવી હોય અને ગોપનીયતા કરાર દ્વારા બંધાયેલા હોય તો તેઓ પોતાનું રક્ષણ કેવી રીતે કરશે? શું તમે જસ્ટીસ હરિ શંકરની ગોપનીયતા ક્લબ સાથે જોડાયેલા નિર્ણય વાંચ્યા છે?

કોર્ટના સવાલો પર પ્રિયા સચદેવના વકીલે કહ્યું કે, 'અમે કાલે કોઈ સૂચન' લઈને આવીશું કહીને દલીલો પૂર્ણ કરી.