રણબીર પહેલા ભગવાન શ્રીરામની ભૂમિકા સલમાન ખાન ભજવવાનો હતો પણ ભાઈનો અફેર નડ્યો?
![]() |
પૂજા ભટ્ટ પણ ફિલ્મના પ્રોડક્શન સાથે જોડાઈ હતી. ફિલ્મની 40 ટકા શૂટિંગ પૂરી પણ થઈ ચૂકી હતી અને સલમાને ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કર્યું હતું. એ જ સમયે સેટ પર સોહેલ ખાન અને પૂજા ભટ્ટ પ્રેમમાં પડયા. પૂજાએ આ રિલેશનશિપ વિશે ખુલાસો પણ કર્યો હતો. વર્ષ 1995માં તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને સોહેલ લગ્ન વિશે વાતચીત કરી રહ્યા છે. જણાવી દઈએ કે પૂજાએ સોહેલના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી.
આ પણ વાંચો : 'ત્યાંથી નીકળવું સરળ નહોતું...', તારક મહેતા... સીરિયલ છોડ્યાના 6 વર્ષ બાદ 'સોનૂ ભિડે' એ તોડ્યું મૌન
પિતા સલીમ ખાન આ સંબંધની વિરુદ્ધ હતા
બંનેના પ્રેમ સંબંધના સમાચાર સોહેલના પિતા સલીમ ખાન સુધી પહોંચ્યા. સલીમ ખાન આ સંબંધની વિરુદ્ધ હતા. તેમણે સોહેલને આ સંબંધ તોડવા કહ્યું હતું. જ્યારે આ વાત પૂજાને પણ જાણ થઇ ત્યારે તેણે ગુસ્સામાં આ ફિલ્મ છોડી દીધી અને ફિલ્મનું નિર્માણ બંધ કરી દેવામાં આવ્યું. સલમાન ખાને પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના બધા પ્રયાસો નિષ્ફળ ગયા. આ જ કારણ હતું કે ફિલ્મ 'રામાયણ'નું નિર્માણ માત્ર 40 ટકા પૂર્ણ થયા પછી બંધ કરવામાં આવ્યું.