Entertainment

નાના પાટેકર 'ખલનાયક' નો આઈકોનિક રોલ કરવાના હતા પણ મેકર્સે છેલ્લી ઘડીએ કેમ બદલ્યો નિર્ણય, જાણો

By GS TEAM
6 Aug 20252 mins read
TukuTouch Logo
વર્ષ 1993માં રિલીઝ થયેલી સુભાષ ઘઇની ફિલ્મ 'ખલનાયક'ને આજે 32 વર્ષ પૂર્ણ થયા છે. 6 ઓગસ્ટ 1993ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. અંદાજે અઢી કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ખલનાયકે 12.30 કરોડનો નેટ કલેક્શન કર્યું હતું. સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની જોડીએ સુભાષ ઘઇના વિઝનને સારી રીતે દર્શાવી હતી. ફિલ્મમાં સંજય દત્તે બલ્લુ, માધુરી દીક્ષિતે ગંગા અને જેકી શ્રોફે પ્રામાણિક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. પણ શું તમે જાણો છો કે પહેલા ખલનાયકમાં બલ્લુના પાત્ર માટે સંજય દત્તને નહોતો સિલેકટ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

નાના પાટેકર 'ખલનાયક' નો આઈકોનિક રોલ કરવાના હતા પણ મેકર્સે છેલ્લી ઘડીએ કેમ બદલ્યો નિર્ણય, જાણો
Image source: Instagram/IANS 

Khalnayak Movie: વર્ષ 1993માં રિલીઝ થયેલી સુભાષ ઘઇની ફિલ્મ 'ખલનાયક'ને આજે 32 વર્ષ પૂર્ણ થયા છે. 6 ઓગસ્ટ 1993ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે અને વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. અંદાજે અઢી કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ખલનાયકે 12.30 કરોડનો નેટ કલેક્શન કર્યું હતું. સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની જોડીએ સુભાષ ઘઇના વિઝનને સારી રીતે દર્શાવી હતી. ફિલ્મમાં સંજય દત્તે બલ્લુ, માધુરી દીક્ષિતે ગંગા અને જેકી શ્રોફે પ્રામાણિક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. પણ શું તમે જાણો છો કે પહેલા ખલનાયકમાં બલ્લુના પાત્ર માટે સંજય દત્તને નહોતો સિલેકટ કર્યો. 

નાના પાટેકર હતા પહેલી પસંદ 

ઘણા ઓછા લોકો જાણતા હશે કે અનિલ કપૂર ઈચ્છતો હતો કે તે ફિલ્મ ખલનાયકમાં બલ્લુના પાત્રની ભૂમિકા ભજવે. તેની માટે અનિલ કપૂર સુભાષ ઘઇના ઘરે પહોંચ્યો. આ પાત્ર ભજવવા માટે અનિલ ટાલ પાડવા પણ તૈયાર હતો. પણ સુભાષ ઘઇને લાગ્યું કે આ પાત્ર માટે અનિલની પર્સનાલિટી મેચ નથી થતી. પણ આ પાત્ર માટે સુભાષ ઘઇએ નાના પાટેકરને પસંદ કર્યો હતો. નાનાને ફિલ્મની સ્ટોરી પણ પસંદ આવી હતી અને તે તૈયાર પણ હતો, પણ ડિરેક્ટર સુભાષ ઘઇના નજીકના મિત્રએ સલાહ આપી હતી કે આ સ્ક્રિપ્ટ પૂર્ણ રીતે કોમર્શિયલ થઈ ચૂકી છે, આવી સ્થિતિમાં કોઈ એવા સ્ટારને પસંદ કરવો જોઈએ જેની બૉક્સ ઓફિસ પર વેલ્યૂ વધારે હોય.  

આ પણ વાંચો: જ્યારે પોતાનાથી 13 વર્ષ નાની શ્રીદેવીના પ્રેમમાં પડ્યાં રજનીકાંત, પ્રપોઝ કરે તે પહેલા બની આવી ઘટના

ડિરેક્ટરની નજર સંજય દત્ત પર પડી 

ત્યાર બાદ સુભાષ ઘઇની નજર સંજય દત્ત પર પડી, જેની સાથે અગાઉ પણ ડિરેક્ટરે 'વિદાતા' ફિલ્મમાં કામ કર્યું હતું. સંજયની આખો, એક્શન પર તેની પકડ હતી, ડિરેક્ટરને લાગ્યુકે તે બલ્લુના પાત્રને ભજવવા પરફેક્ટ છે. ડિરેક્ટરે સંજયને સ્ક્રિપ્ટ સંભળાવી અને આ પાત્ર માટે સંજયને ઘણી મહેનત કરવા પણ કહ્યું. સંજયને આ પાત્ર એટલુ પસંદ આવ્યું કે તેણે તરત કામ કરવાની હા પાડી. ત્યાર પછી તો બલ્લુ એટલે કે ખલનાયકનું પાત્ર માત્ર ફિલ્મમાં જ નહીં પણ બોલિવૂડના ઇતિહાસમાં પણ ખૂબ જ પ્રચલિત રહ્યું. આજે પણ ઘણા લોકો સંજય દત્તને 'ખલનાયક' તરીકે ઓળખે છે.