Entertainment

એક્તા કપૂર હવે ટીવીને બદલે મોટા પડદા માટે નાગીન ફિલ્મ બનાવશે

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
એક્તા કપૂરે નાગિન ફિલ્મ બનાવવાની જાહેરાત કરતાં જ હિરોઈન અંગે અટકળો શરૂ થઈ છે. મુંબઈમાં નાગપંચમીના દિવસે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા તેમણે જણાવ્યું કે, 11 વર્ષ સુધી ટીવી પર રાજ કર્યા બાદ હવે બાલાજી ટેલિફિલ્મ્સ આ ફ્રેન્ચાઇઝીને મોટા પડદે લાવવા તૈયાર છે. મૌની રોય, સુરભિ જ્યોતિ અને નિયા શર્મા જેવી અભિનેત્રીઓએ ટીવી પર નાગિનની ભૂમિકા ભજવી છે. હવે ફિલ્મમાં કોણ નાગિન બનશે તેના પર સૌની નજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક્તા કપૂર  હવે ટીવીને બદલે મોટા પડદા માટે નાગીન ફિલ્મ બનાવશે
  • નાગિન ફિલ્મ માટે હિરોઈન અંગે અટકળ શરૂ
  • ટીવી પર નાગિન સીરિયલની સાત સીઝન આવી, ૧૧ વર્ષ સુધી ચાલી હતી

મુંબઈ : એક્તા કપૂરે નાગિન ફિલ્મ આવી રહી હોવાના સંકેતો આપ્યા છે. એક્તાએ તેની ટીવી સિરિયલ્સમાં નાગિનની ભૂમિકાઓ ભજવનારી વિવિધ એક્ટ્રેસીસના શોટ ભેગાં કરેલી બનાવેલો વિડિયો શેર કરી જણાવ્યું હતું કે કશુંક વધુ રોમાંચક આવી રહ્યું છે. હેપી નાગપંચમી.
એક્તાએ નાગપંચમીના દિવસે ઇન્સ્ટા પર વિડિયો શેર કરી જણાવ્યું હતું કે નાગિને ૧૧ વર્ષ ટીવીના નાના પડદે રાજ કર્યું છે. હવે બાલાજી ટેલિફિલ્મ્સ લિ. આ ફ્રેન્ચાઇઝીને ટીવીની પણ પેલે પાર લઇ જવા તૈયાર છે. એક્તા કપૂર નાગિન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે કોને પસંદ કરે છે તેના પર બધાની નજર છે.
૨૦૨૫ માં પહેલીવાર નાગિન ટીવી શ્રેણી રજૂ થઇ ત્યારે મૌની રોય અને અર્જુન બિજલાનીની જોડી તેમાં હતી. એ પછી ત્રીજી સીઝનમાં સુરભિ જ્યોતિ નાગિન બની હતી. જ્યારે ચોથી સીઝનમાં નિયા શર્મા નાગિન બની હતી પણ કોરોના મહામારીને કારણે સિરિયલ અચાનક બંધ કરી દેવી પડી હતી.