દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં અભિનેત્રીએ ગુમાવી તેની બેસ્ટ ફ્રેન્ડ, કહ્યું - મને વિશ્વાસ નથી થતો..
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Car Blast: સોમવારે (10 નવેમ્બર) દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટથી રાજધાનીને હચમચી ગઈ. સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પાસે હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો, જેમાં 12 લોકોના મોત નિપજ્યા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે, બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ખુલાસો કર્યો છે કે તેની નજીકની સ્કૂલ ફ્રેન્ડ સુનિતા મિશ્રાનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
પાયલે ગુમાવી પોતાની મિત્ર
પાયલ આ દુર્ઘટનાથી હચમચી ગઈ છે. તેણે સુનિતા સાથેની તેની છેલ્લી વાતચીત યાદ કરી. બોમ્બ બ્લાસ્ટના એક અઠવાડિયા પહેલા જ બંને મિત્રોએ વાત કરી હતી.
આ પણ વાંચોઃ બોલિવૂડ એક્ટર ગોવિંદાની તબિયત લથડીઃ ઘરમાં અચાનક બેભાન, હોસ્પિટલમાં કરાયા દાખલ
પાયલ ઘોષે એક મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "મને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે જતી રહી. અમે એક અઠવાડિયા પહેલા જ વાત કરી હતી. તે હંમેશા હસતી હતી, હંમેશા સકારાત્મકતા ફેલાવતી હતી. આવી દયાળુ આત્માને આટલી ક્રૂર રીતે જતી જોવી ખરેખર અવાસ્તવિક લાગે છે. તે ફક્ત એક મિત્ર નહોતી. તે એક પરિવાર જેવી હતી. અમે સાથે મોટા થયા, સપના, હાસ્ય અને સંઘર્ષો વહેંચ્યા. તેને આ રીતે ગુમાવવાથી... તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી." એક્ટ્રેસે આ મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારોને ટેકો આપવા અને એક રહેવા માટે જનતાને અપીલ કરી હતી.
દિલ્હી મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત
આ ઘટનાના પ્રતિભાવમાં, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પીડિતોના પરિવારો માટે સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારોને રૂ. 10 લાખ મળશે, જ્યારે કાયમી અપંગતા અથવા ગંભીર ઇજાઓ ધરાવતા લોકોને રૂ. 5 લાખ મળશે.
આ પણ વાંચોઃ દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લુ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું
સોશિયલ મીડિયા પર આપી માહિતી
મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, "આ કપરા સમયમાં, દિલ્હી સરકાર પોતાના પ્રિયજનો ગુમાવનારા અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ પરિવારો પ્રત્યે ઊંડા સંવેદના વ્યક્ત કરે છે." સોમવાર, 10 નવેમ્બરની સાંજે, દિલ્હી એક જીવલેણ વિસ્ફોટથી હચમચી ગયું. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે પાર્ક કરેલી હરિયાણા-રજિસ્ટર્ડ કારમાં વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત નિપજ્યા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા. આ ઘટનાના પ્રતિભાવમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતના મુખ્ય શહેરોમાં સુરક્ષા પગલાં વધારવાનો આદેશ આપ્યો છે. તપાસમાં જમ્મુ અને કાશ્મીર સાથે આતંકવાદી સંબંધો હોવાની શક્યતા બહાર આવી છે.








