Get The App

છૂટાછેડા પછી અભિનેત્રીએ ખુદ તેના પૂર્વ પતિના કરાવ્યા લગ્ન, કહ્યું તેના 2 બાળકો છે...

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
છૂટાછેડા પછી અભિનેત્રીએ ખુદ તેના પૂર્વ પતિના કરાવ્યા લગ્ન, કહ્યું તેના 2 બાળકો છે... 1 - image


Achint Kaur : 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી', 'જમાઈ રાજા' અને 'ઝાંસી કી રાની' જેવા લોકપ્રિય શોમાં કામ કરી ચૂકેલી અચિંત કૌરે તાજેતરમાં કામ માંગ્યું હતું. કૌરે સોશિયલ મીડિયા પોસ્ટ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, હું સારા કામની શોધમાં છે અને કોઈપણ પ્રકારના ક્રિએટિવ કામ માટે હું તૈયાર છું.

આ પણ વાંચો: લગ્નના 1 વર્ષ બાદ સોનાક્ષીએ ભાઈઓ સાથે વિવાદ મુદ્દે મૌન તોડ્યું, કહ્યું- હું ધ્યાન નથી આપતી

'18 વર્ષની ઉંમરે મારા પરિવારે મારા લગ્ન કરાવ્યા હતા'

આ સાથે હવે અભિનેત્રીએ તેના છૂટાછેડાને લઈને વાત કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે, બાળપણમાં જ મારા માતાપિતા અલગ થઈ ગયા હતા. મારી માતાએ જ મારી પરવરિશ કરીને મોટી કરી હતી. તેમજ 18 વર્ષની ઉંમરે મારા પરિવારે મારા લગ્ન કરાવી દીધા હતા, પરંતુ 10 વર્ષ પછી મારા છૂટાછેડા થઈ ગયા. 

'ઘણા વર્ષો પછી પણ અમારા બંનેના વિચારો મળતા ન હતા'

કૌરે તેના છૂટાછેડાનું કારણ આપતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'હું એક એવા પ્રકારની વ્યક્તિ છું, કે જે મારા સિદ્ધાંતો પર જીવન જીવુ છું. મારા મંતવ્યો મારા માટે મહત્વપૂર્ણ છે. લગ્નના ઘણા વર્ષો પછી પણ અમારા બંનેના વિચારો મળતા ન હતા. એ પછી અમે બંનેએ નક્કી કર્યું કે, અમે સાથે નહીં રહી શકીએ. 10 વર્ષ પછી અમારા છૂટાછેડા થયા. પરંતુ અમે હજુ પણ સારા મિત્રો છીએ. કારણ કે હું ઇચ્છું છું કે મારી સાથે જે બન્યું, તે મારા દીકરા સાથે ન બને.'

'હું ઇચ્છું છું કે, મારા દીકરાને માતાપિતા બંનેનો પ્રેમ મળે'

અભિનેત્રીએ વધુ વાત કરતા કહ્યું કે, 'હું ઇચ્છું છું કે, મારા દીકરાને માતાપિતા બંનેનો પ્રેમ મળે. મારા પૂર્વ પતિ સાથે મારી મિત્રતા ત્યારે વધુ સારી થઈ જ્યારે તેણે મને ફોન કરીને તેમની ગર્લફ્રેન્ડ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, હું એક છોકરીને પ્રેમ કરું છું, જે મારાથી 17 વર્ષ નાની છે. મારી વિનંતી છે કે, તેના પરિવાર સાથે અમારા સંબંધ વિશે વાત કરો. મેં છોકરીના પરિવારને ફોન કરીને વાત કરી અને તેમને લગ્ન માટે મનાવી લીધા.'

આ પણ વાંચો: દિલજીતની નાગરિકતા જ રદ કરો: હાનિયા આમિર અંગે વિવાદ બાદ FWICEની માંગ

'...પરંતુ તેમનો સંબંધ લગ્નના મુકામ સુધી ન પહોંચ્યો'

'મેં તેમને કહ્યું કે ભલે મારી સાથે તેના લગ્ન સફળ ન થયા પંરતુ છોકરો સારો છે. આજે મારા પૂર્વ પતિને બે બાળકો છે અને તે સારું જીવન જીવી રહ્યા છે. તેમના સારા જીવનનો શ્રેય મને પણ જાય છે.' જોકે, છૂટાછેડા પછી અભિનેત્રી 16 વર્ષ સુધી ટેલિવિઝન અભિનેતા મોહન કપૂર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી, પરંતુ તેમનો સંબંધ લગ્નના મુકામ સુધી ન પહોંચ્યો.

Tags :