અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયેલી મહિલાનો અછોડો તૂટ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના દંતેશ્વર-તરસાલી રિંગ રોડ પર દર્શનમ એન્ટીકામાં રહેતા સંતોષકુમાર ગંગારામ લુસ્ટે દરજીપુરા એરફોર્સમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. 30મી મેના રોજ તેમની મામાની દીકરી લીલાબેન તથા તેમના પતિ બાબુભાઈ પરિવાર સાથે સંતોષકુમારના ઘરે આવ્યા હતા. બીજા દિવસે એટલે કે 31મી તારીખે પૂનમ હોય તેવો કાર લઈને સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં 12:30 વાગ્યા સુધી રોકાયા હતા. તે દરમિયાન લીલાબેનના ગળામાંથી 6.48 ગ્રામ વજનનું મંગળસૂત્ર કોઈ ચોરી ગયું હતું. સંતોષ કુમારના માતાને લકવો હોય તથા તેમના બહેનને સુરત પાછા જવાનું હોય જે તે સમયે ફરિયાદ કરી ન હતી. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી પોલીસની કાર્યપદ્ધતિ એવી રહી છે કે, આરોપી પકડાયા પછી ગુનો દાખલ કરતી હોય છે આ કિસ્સામાં પણ ચોર પકડાઈ ગયા હોવાને શક્યતા છે.









