Get The App

માર્ચમાં સૂર્યગ્રહણ: મીન-મેષ સહિત 3 રાશિના જાતકો પર થશે નકારાત્મક અસર, સાચવીને રહેવું

Updated: Feb 27th, 2025

GS TEAM


Google News
Google News
માર્ચમાં સૂર્યગ્રહણ: મીન-મેષ સહિત 3 રાશિના જાતકો પર થશે નકારાત્મક અસર, સાચવીને રહેવું 1 - image


Surya Grahan 2025: આ વખતે કેટલીક રાશિવાળાને માર્ચમાં બેવડો ફટકો પડવાનો છે. હકીકતમાં આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ થવાનું છે અને તે દિવસે શનિ ગોચર કરવાના છે.  જેના કારણે કેટલીક રાશિઓના જીવનમાં સૂર્ય અને શનિની સ્થિતિમાં ફેરફાર અમાવસ્યાની રાત જેટલો અંધકારમય સાબિત થઈ શકે છે.

29 માર્ચ 2025ના રોજ વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ થવાનું છે. આ દિવસે ચૈત્ર અમાવસ છે. આ સાથે 29 માર્ચ શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. સૂર્યગ્રહણ અને શનિ ગોચરનું ડબલ એટેક 3 રાશિઓ માટે ખૂબ હેરાન કરનારું રહેશે.

આ પણ વાંચોઃ ઉજ્જૈનથી લઈને બૈદ્યનાથ સુધી... મહાશિવરાત્રીએ જય ભોલેના ઉદ્ઘોષથી શિવાલય ગૂંજી ઊઠ્યા

મેષ રાશિ

આમ તો શનિનું ગોચર મેષ રાશિ પર શનિની સાડાસાતીની શરુઆત થશે. એટલે તેમના માટે મુશ્કેલીઓનો સમય લાંબો ચાલશે. પરંતુ મેષ રાશિ સહિત 3 રાશિવાળાઓને આ પરિવર્તનના 15 દિવસ પછી સંભાળીને રહેવું પડશે. 

સૂર્ય ગ્રહણના દિવસે શનિ ગોચર થશે અને મેષ રાશિવાળાઓ પર શનિની સાડાસાતી શરુ થશે. આ લોકોએ આર્થિક નુકશાન, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને કરિયરમાં વિધ્નનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત ખર્ચ અને ટેન્શનમાં પણ વધારો થઈ શકે છે. 

કુંભ રાશિ

સૂર્ય ગ્રહણના દિવસે શનિનું રાશિ પરિવર્તન કુંભ રાશિવાળાઓ માટે કષ્ટદાયી થઈ શકે છે. આરોગ્ય બગડી શકે છે. વાહન સંભાળીને ચલાવવું, ઘરમાં વિવાદ, કરિયરની સમસ્યા ઊભી થઈ શકે છે. આ સાથે વાણીમાં સંયમ રાખવો જરુરી છે. 

આ પણ વાંચોઃ ભારત નહીં પાકિસ્તાન-નેપાળમાં પણ ભોળેનાથના પૌરાણિક મંદિરો છે, આજે ભક્તોની ભીડ ઉમટશે

મીન રાશિ

સૂર્યગ્રહણના દિવસે શનિ ગોચર કરતાં હોવાથી મીન રાશિમાં પ્રવેશ કરશે અને મીન રાશિમાં સાડાસાતીનો બીજો તબક્કો શરુ થશે. સાડાસાતીના બીજો તબક્કો સૌથી વધારે કષ્ટદાયી હોય છે.આ સમય સૌથી વધારે નુકશાન થતું હોય છે, આત્મવિશ્વાસ ઓછો થવો, શારીરિક માનસિક દુખ પડતા હોય છે.  

Tags :