Get The App

ઉજ્જૈનથી લઈને બૈદ્યનાથ સુધી... મહાશિવરાત્રીએ જય ભોલેના ઉદ્ઘોષથી શિવાલય ગૂંજી ઊઠ્યા

Updated: Feb 26th, 2025

GS TEAM


Google News
Google News
ઉજ્જૈનથી લઈને બૈદ્યનાથ સુધી... મહાશિવરાત્રીએ જય ભોલેના ઉદ્ઘોષથી શિવાલય ગૂંજી ઊઠ્યા 1 - image


Maha Shivratri: દેશભરમાં આજે મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે. ઉજ્જૈનથી લઈને બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. શિવરાત્રીનું ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. મહાશિવરાત્રીના અવસરે શ્રીબાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 

ઉજ્જૈનના શ્રીમહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં આરતી

મહાશિવરાત્રીના અવસરે ઉજ્જૈનના શ્રીમહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં આરતી કરવામાં આવી છે. આ સાથે જ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં વિશેષ ભસ્મ આરતી કરવામાં આવી.

કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી

મહાશિવરાત્રીના અવસરે પૂજા કરવા માટે કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. મહાશિવરાત્રીના આ પાવન અવસર પર કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી છે. 

દિલ્હી અને ગાઝિયાબાદના શિવ મંદિરોમાં પહોંચ્યા ભક્તો

મહાશિવરાત્રીના અવસર પર પૂજા કરવા માટે મહિપાલપુરના શિવ મૂર્તિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે. આ સિવાય ગાઝિયાબાદના શ્રીદૂધેશ્વરનાથ મંદિરમાં પણ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભારે ભીડ

મહારાષ્ટ્રના નાસિકમાં મહાશિવરાત્રીના અવસર પર શ્રીત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. 

કેન્દ્રીય મંત્રી પહોંચ્યા ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂ ઉજ્જૈનના શ્રીમહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં સવારની આરતીમાં સામેલ થયા હતાં. આ દરમિયાન તેમણે કહ્યું કે, મહાશિવરાત્રીના પવિત્ર દિવસે મહાકાલના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. અહીં વ્યવસ્થા ખૂબ સારી છે. હું પ્રાર્થના કરૂ છું કે, દેશની હજુ દેશની સેવા કરવાની શક્તિ મળે.


Tags :