Get The App

ધનલાભના યોગ અને કરિયરમાં અપાર સફળતા... જૂન પછી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય આપશે સાથ

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
ધનલાભના યોગ અને કરિયરમાં અપાર સફળતા... જૂન પછી આ 3 રાશિના જાતકોનું ભાગ્ય આપશે સાથ 1 - image


Shukra Gochar 2025: શુક્ર હાલમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. મે માસના અંતમાં મેષ રાશિ અને જૂન માસના અંત સુધીમાં પોતાની જ રાશિ વૃષભમાં ગોચર કરવા જશે. શુક્રનું એક રાશિમાં ગોચર લગભગ એક મહિના સુધીનું હોય છે અને 12-13 મહિના પછી જ શુક્ર તે જ રાશિમાં પરત ફરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્રનું પોતાની વૃષભ રાશિમાં ગોચર ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે. 

આ પણ વાંચો : નોકરીમાં પ્રમોશન અને લવ લાઇફમાં સફળતા... શનિના કારણે આ રાશિના જાતકોને થશે લાભ

શુક્ર 29 જૂન 2025 ના રોજ બપોરે 02:17 વાગ્યે વૃષભ રાશિમાં ગોચર કરશે. જેનાથી ત્રણ રાશિઓ પર તેની સકારાત્મક અસર પડશે. આ ત્રણ રાશિઓ કઈ છે જેમનું કિસ્મત ટૂંક સમયમાં ચમકવાનું છે? આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.

વૃષભ રાશિ

વૃષભ રાશિમાં જ શુક્રનું ગોચર થઈ રહ્યું છે, તેથી આ ગોચર જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. રાશિના જાતકોને ધન અને સંપત્તિનું સુખ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. અપરિણીત લોકોને તેમનો પ્રેમ મળશે અથવા તેઓ લગ્ન કરી શકે છે. તમને નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં મોટો નફો મળી શકે છે.

કન્યા રાશિ

વૃષભ રાશિમાં શુક્રનું ગોચર કન્યા રાશિ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાતકોને ભાગ્યનો સાથ મળશે તેમજ દરેક બાજુથી અપાર સફળતા પ્રાપ્ત કરી શકશે. જીવનમાં સુખ અને શાંતિના માર્ગો ખુલશે. શાસન અને વહીવટની પહોંચ વધશે. આ ઉપરાંત જાતકોને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. તેમજ પારિવારિક બાબતોમાં વ્યક્તિ સરળતાથી ઉકેલ લાવી શકશે. ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે.

આ પણ વાંચો : આ બે રાશિના જાતકો પર દોઢ વર્ષ સુધી રહેશે રાહુ-કેતુના ગોચરની અસર, વાણી પર સંયમ જરૂરી

મકર રાશિ 

મકર રાશિના લોકોને શુક્રના ગોચરથી ઘણો જ ફાયદો થશે. લોકોને તેમના કાર્યનું સારું પરિણામ મળશે. સંતાન સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેના નવા રસ્તા ખુલશે. અટકેલા કામ ઝડપી પૂર્ણ થશે. સંપત્તિમાં વધારો થવાની સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકશે. જીવનમાં સુખ અને શાંતિ રહેશે. ખોવાયેલો પ્રેમ પાછો મળી શકે છે.

Tags :