Get The App

રક્ષાબંધન 2025: આજે રક્ષાબંધન પર વણજોયું મુહૂર્ત, જાણો કેટલાક શ્રેષ્ઠ મુહૂર્ત

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
રક્ષાબંધન 2025: આજે રક્ષાબંધન પર વણજોયું મુહૂર્ત, જાણો કેટલાક શ્રેષ્ઠ મુહૂર્ત 1 - image


Raksha Bandhan 2025: શ્રાવણ સુદ પૂનમ (નવમી ઓગસ્ટ, 2025)ના દિવસે એટલે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે. આ વર્ષે પૂનમ તિથિ બપોરે 1: 24 વાગ્યા સુધી છે અને આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનું 'વિષ્ટિ બાધ્ય' નથી, જે એક શુભ સંકેત છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનને વ્યક્ત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.

જ્યોતિષીઓના જણાવ્યાનુસાર, શનિવારે (નવમી ઓગસ્ટ) રાખડી બાંધવા માટેના અનેક શુભ મુહૂર્ત છે, જેથી દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ આ પર્વની ઉજવણી કરી શકે છે.


રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્ત

  • સવારનો સમય: 07:50થી 09:20
  • બપોરનો સમય: 12:50થી 05:40
  • સાંજનો સમય: 07:20થી 08:40
  • રાત્રિનો સમય: 10:05 થી 02:05 (મધ્યરાત્રિ પછી પણ)

આ પણ વાંચો: 100 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે અદ્ભુત યોગ, આ 3 રાશિઓના ચમકશે ભાગ્ય

આ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષાનું પ્રતીક એવી રાખડી બાંધી શકે છે. ભાઈ પણ બહેનની રક્ષાનું વચન આપીને આ પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવશે. આ શુભ મુહૂર્તોનો લાભ લઈને દરેક ભાઈ-બહેન આ તહેવારને આનંદ અને ઉત્સાહથી ઉજવી શકે છે.

Tags :