અસુરોના ગ્રહ 'રાહુ'નો દોષ તમારા ઘરમાં નથી ને? જાણો લક્ષણ અને તેના ઉપાય
Planet Rahu: નવગ્રહોમાં રાહુનું વિશેષ સ્થાન છે. રાહુ એક છાયા ગ્રહ છે. તેને અસુરોનો ગ્રહ માનવામાં આવે છે. રાહુને રાહુને કપટી, ભ્રામક અને ભૌતિક સુખ- સંપત્તિનો ગ્રહ માનવામાં આવે છે. રાહુ એવી વસ્તુ છે જે દેખાય છે પણ હકીકતમાં નથી. રાહુ જીવનમાં ભ્રમ પેદા કરે છે.
આ પણ વાંચો: ગણપતિ બાપ્પાની સ્થાપના પહેલા વાસ્તુ નિયમોનું રાખજો ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન
જ્યારે રાહુ પરેશાન થાય છે, ત્યારે વ્યક્તિ વધુ પડતું વિચારે છે, માનસિક તણાવ, ભ્રમ અને એકલતા અનુભવે છે. જો રાહુ સંતુલિત ન હોય, તો વ્યક્તિ દરેક નિર્ણય પર અફસોસ કરે છે. રાહુ દરેક એ વસ્તુમાં હોય છે, જે આભાસી (વર્ચ્યુઅલ) છે અથવા ભ્રમ પેદા કરે છે.
રાહુ ઘરમાં કયા સ્વરૂપમાં રહે છે?
- મોબાઇલ ફોન
- સોશિયલ મીડિયાની લત
- ગેજેટ્સ (VR, કેમેરા અને હેડફોન)
- કેમિકલ્સ (બ્યુટી પ્રોડેક્ટ, સફાઈ એજન્ટો)
- દવાઓ
- ધુમાડો
રાહુ બગડવાના લક્ષણો
- વધુ વિચારવાની આદત
- સોશિયલ મીડિયાથી ધ્યાન ભટકાવુ
- ખોટા વચનો અથવા ડર
- જે બીમારી છે તેની સારવાર વારંવાર બદલાય છે
- વધુ કલ્પનાને કારણે બ્રેકઅપ્સ
- દરેક બાબતમાં યોગ્ય નિર્ણય ન લઈ શકવું.
જો રાહુ ઘરમાં બાધા ઉભી કરે તો શું થાય?
- સ્ક્રીન ટાઇમ વધે છે.
- કૃત્રિમ પરફ્યુમનો વધુ પડતો ઉપયોગ
- ધૂપ કે મીણબત્તીના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ.
- સાફ-સફાઈ સાથે જોડાયેલા ઉત્પાદનોનો વધુ પડતો ઉપયોગ.
- જો ઘરમાં આર્ટિફિશિયલ વાતાવરણ હોય, તો રાહુ સક્રિય બને છે.
આ પણ વાંચો: 8 દિવસ બાદ સૂર્ય-બુધ-કેતુનો મહાસંયોગ, આ રાશિના જાતકોને થશે ચાંદી જ ચાંદી!
રાહુને સંતુલિત કરવાના ઉપાયો
- દર શનિવારે નારિયેળનું દાન કરો.
- ઘરના પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ ભાગમાં માટીનો દીવો પ્રગટાવવો જોઈએ.
- દરરોજ રાત્રે સ્ક્રીન ટાઇમ સેટ કરી લો.
- અઠવાડિયામાં બે દિવસ ગૌમૂત્રથી ફ્લોર પર પોતુ કરવું.
- આ સાથે 'ઓમ રામ રહવે નમ' મંત્રનો 108 વાર જાપ કરો.