આજે રાધા અષ્ટમી: દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા જાણો પૂજા વિધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Radha Ashtami 2025: આજે રાધા અષ્ટમી. દર વર્ષે રાધા અષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. આ દિવસે બરસાના સહિત દેશભરમાં વિશેષ રોનક જોવા મળે છે. રાધા અષ્ટમીના શુભ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણની સાથે રાધા રાણીની પણ વિશેષ પૂજા-અર્ચના કરવાનો મહિમા રહેલો છે.
આ પણ વાંચો: ઓક્ટોબરમાં તુલા રાશિમાં બનશે દુર્લભ મહાયુતિ, આ રાશિઓનું ભાગ્ય ચમકી ઊઠશે
ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે પૂજા કરવાથી ભક્તનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને શ્રીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમે પણ રાધા અષ્ટમી પ્રસંગે રાધા રાણીને પ્રસન્ન કરવા માંગતા હો, તો લેખમાં દર્શાવવામાં આવેલા ઉપાય જરુર કરો. એવું માનવામાં આવે છે કે, આ દિવસે આ ઉપાયો કરવાથી ભક્તને રાધા રાણીના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.
આજે મનાવવામાં આવશે રાધા અષ્ટમી
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિનો પ્રારંભ: 30 ઓગસ્ટના રોજ રાત્રે 10:46 વાગ્યે
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિનું સમાપન: 31 ઑગસ્ટના રોજ બપોરે 12:57 વાગ્યે
આ વખતે રાધા અષ્ટમીનો તહેવાર 31 ઑગસ્ટના રોજ ઉજવવામાં આવશે.
રાધા રાણીની કૃપા રહેશે
રાધા અષ્ટમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી રાધા રાણીની પૂજા-અર્ચના કરો. ત્યારબાદ કથાનો પાઠ કરો અને મંત્રોનો જાપ કરો. મંદિર અથવા ગરીબોને અન્ન, પૈસા અને કપડાંનું દાન કરો. એવું કહેવાય છે કે, આ ઉપાય કરવાથી અન્ન અને પૈસાનો ભંડાર ભરેલો રહે છે અને રાધા રાણીની કૃપા રહે છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.
કેવી રીતે કરશો રાધા રાણીની પૂજા
રાધાષ્ટમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી ઉપવાસનું વ્રત લો. ત્યાર બાદ રાધાજીની ધાતુ અથવા પથ્થરની મૂર્તિ લાવો. મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો. આ પછી એક સ્ટૂલ પર સફેદ કે પીળો કપડું પાથરી તેના પર રાધારાણીની મૂર્તિ મૂકો. તેમને નવા કપડાં અર્પણ કરો. દેવીને ફળો, મીઠાઈઓ અર્પણ કરો અને ધૂપ, દીવા, ફૂલો વગેરે અર્પણ કરો. રાધાજીની આરતી અને પરિક્રમા કર્યા પછી, 'ૐ હ્રીં શ્રી રાધિકાયે નમઃ' મંત્રનો જાપ કરો. આનાથી વિશેષ પરિણામ મળે છે. પ્રેમમાં સફળતા અને લગ્નજીવનમાં મધુરતા માટે, તમે રાધા અને કૃષ્ણની સંયુક્ત પૂજા પણ કરી શકો છો. બીજા દિવસે પારણા પછી શ્રૃંગારની વસ્તુઓનું દાન કરો અને પછી જ ભોજન કરો.
મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે આ ઉપાયો કરો
આ દિવસે બપોરે રાધા અને શ્રીકૃષ્ણની સંયુક્ત પૂજા કરો. તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો. તુલસીના પાન અને ખાંડ અર્પણ કરો. "મેરી ભવ બઢા હરો, રાધા નગરી સોઇ, જા તન કી ઝાયે પરે, શ્યામ હરિત દુતી હોઈ." આ શ્લોકનો 108 વાર જાપ કરો. તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે.
આ પણ વાંચો: સૂર્ય દેવ જ નહીં પણ રવિવારે આ દેવી-દેવતાની પૂજા કરવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ

લગ્નમાં આવતી અડચણો દૂર થશે
જો તમારા લગ્નમાં કોઈ અડચણો આવી રહી હોય, તો રાધા અષ્ટમીના દિવસે પૂજા દરમિયાન સાચા મનથી 'ઓમ હ્રીં શ્રીં રાધિકાયે નમઃ' મંત્રનો જાપ કરો. ધાર્મિક માન્યતા પ્રમાણે આ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થશે અને ઇચ્છિત વર મળશે.
સંબંધો મજબૂત બનશે
વિવાહિત જીવનમાં ખુશીના આગમન માટે રાધા અષ્ટમીના દિવસે વિધિપૂર્વક રાધા-કૃષ્ણજીની ઉપાસના કરો. આ દરમિયાન ભગવાનને ફૂલો, ગુલાબ, મોર પીંછા અને વાંસળી અર્પણ કરો. ધાર્મિક માન્યતા પ્રમાણે આ ઉપાય કરવાથી દામ્પત્ય જીવન હંમેશા ખુશ રહે છે અને પતિ-પત્નીનો સંબંધ મજબૂત બનશે.








