For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Mahashivratri 2024: શ્રવણ નક્ષત્રમાં શિવજીની પૂજા કરવાથી શનિ દેવની રહેશે કૃપા, આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત

Updated: Mar 6th, 2024

Mahashivratri 2024: શ્રવણ નક્ષત્રમાં શિવજીની પૂજા કરવાથી શનિ દેવની રહેશે કૃપા, આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત

Image Source: Freepik

અમદાવાદ, તા. 06 માર્ચ 2024 બુધવાર

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ, સિદ્ધિ યોગ અને શિવ યોગ જેવા 3 પ્રભાવશાળી શુભ યોગનો સંગમ થઈ રહ્યો છે. આ સાથે જ આ વખતે મહાશિવરાત્રિ ધનિષ્ઠા નક્ષત્ર અને શ્રવણ નક્ષત્રમાં મનાવવામાં આવશે. શ્રવણ નક્ષત્રનો સ્વામી શનિ છે અને ઘનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ. તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાથી હનુમાનજી, શનિદેવ અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે. 

મેષ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોને આ વર્ષે ભગવાન શિવની સાથે શનિ દેવની પણ કૃપા મળશે. લાંબા સમયથી રોકાયેલા કાર્ય ટૂંક સમયમાં થશે. વેપારમાં ઊંચી છલાંગ લગાવવામાં સફળતા મળશે. નોકરીમાં રોકાયેલુ પ્રમોશન આ સમયગાળામાં થઈ શકે છે. પ્રગતિના યોગ બનતા જોવા મળી રહ્યા છે. જો રૂપિયાની તંગીમાંથી પસાર થઈ રહ્યા છો તો છુટકારો મળી શકે છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓથી સહયોગ મળશે.

વૃષભ રાશિ

મહાશિવરાત્રિ પર વૃષભ રાશિના લોકો પર મહાદેવની કૃપા વરસશે. આ દરમિયાન તેમને મનપસંદ જીવનસાથી મળી શકે છે. પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. ઓફિસમાં કામના વખાણ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વાહન કે જમીન વગેરે ખરીદી શકો છો કે પછી કોઈ મોટુ કાર્ય સંપન્ન થશે. આ વર્ષે કોઈ લગ્ન યોગ્ય વ્યક્તિના લગ્ન થઈ શકે છે.

તુલા રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના લોકો પર મહાશિવરાત્રિ બાદ શનિ દેવની વિશેષ કૃપા વરસવાની છે. નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ છે. ઘરમાં કોઈ નવા સભ્યની એન્ટ્રી થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જીવન સુખમય થશે. પરિવારમાં ખુશીઓ આવશે. જીવનમાં શાંતિનો વિકાસ થશે. વિદેશ જઈને રૂપિયા કમાવવાનું વિચારી રહેલા લોકોની કામના પૂરી થઈ શકે છે.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે મહાશિવરાત્રિનું આ પર્વ ખાસ રહેવાનુ છે. આ દરમિયાન પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. ઓફિસમાં પ્રમોશનના ચાન્સ જોવા મળી રહ્યા છે. આ સમયે આર્થિક પક્ષ મજબૂત થશે. નોકરીની શોધ કરી રહેલા લોકોની તપાસ પૂરી થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રૂપિયાની બચત કરી શકશે. ગાડી ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે.

કુંભ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો પર શનિ દેવની વિશેષ કૃપા રહેવાની છે. આ દરમિયાન તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો સપનું પૂરુ થઈ શકે છે. ધનની સ્થિતિમાં સુધારો થશે. કરિયર સાથે જોડાયેલી યોજનાઓ સફળ થશે. કામ ધંધો સારો ચાલશે અને નફો પણ વધી જશે. લગ્ન માટે કોઈ સારો પ્રસ્તાવ આવી શકે છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને જીવન શાંતિથી પસાર થશે.

Gujarat