Get The App

શનિવારે અમાસ અને સૂર્યગ્રહણ: આ 5 રાશિના જાતકોને થશે અઢળક ધનલાભ

Updated: Mar 21st, 2025

GS TEAM

Google News
Google News
શનિવારે અમાસ અને સૂર્યગ્રહણ: આ 5 રાશિના જાતકોને થશે અઢળક ધનલાભ 1 - image


Image: X

Shani Amavasya 2025 Surya Grahan Effect: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે 29 માર્ચે પહેલું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકાર જણાવી રહ્યા છે કે આ એક આંશિક સૂર્યગ્રહણ હશે. આ વખતે શનિ અમાસ પર સૂર્યગ્રહણનો ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સિવાય આ દિવસે શનિ દેવ અઢી વર્ષ બાદ રાશિ બદલવા જઈ રહ્યા છે. આ દિવસે શનિ દેવ કુંભથી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સૂર્યગ્રહણ ઉત્તરાભાદ્રપદ્ર નક્ષત્રમાં લાગશે, તેથી આ નક્ષત્રમાં જન્મેલા લોકો માટે આ સૂર્યગ્રહણ ખૂબ ખાસ છે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ આર્થિક રીતે અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. સૂર્યગ્રહણના શુભ પ્રભાવથી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. આ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સાથે જ આ દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રહેશે. વિદ્યાર્થી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર માટે આ સમય અનુકૂળ રહેશે.

કર્ક રાશિ

વર્ષનું સૂર્યગ્રહણ અને શનિનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. આ સૂર્યગ્રહણના શુભ પ્રભાવથી નોકરી અને વેપારમાં જોરદાર આર્થિક પ્રગતિ જોવા મળશે. વેપારમાં ધનની સ્થિતિ સારી થશે. મિત્રોના સહયોગથી નોકરીની સારી ઓફર મળી શકે છે. કાયદેસર વિવાદોથી છુટકારો મળી શકે છે.

આ પણ વાંચો: Ram Navami Date 2025: ચૈત્ર નવરાત્રિએ એક તિથિનો ક્ષય, જાણો ક્યારે આવશે રામ નવમી

તુલા રાશિ

સૂર્યગ્રહણના શુભ પ્રભાવથી પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. પરિવારમાં સભ્યોની વચ્ચે આંતરિક ગેરસમજ દૂર થશે. દાંપત્ય જીવન સારું રહેશે. નવવિવાહિત દંપતીને કોઈ ખુશખબર મળી શકે છે. આ દરમિયાન વેપારમાં આર્થિક રોકાણથી મોટો લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યોના વખાણ થશે.

મકર રાશિ

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ અને શનિનું ગોચર મકર રાશિના લોકો માટે અનુકૂળ કહેવાઈ રહ્યું છે. શનિ દેવની વિશેષ કૃપાથી બગડેલા કાર્ય બનતાં નજર આવશે. વેપારમાં ભાગીદારનો સાથ મળશે. નોકરિયાત જાતકોને સારી ખુશખબરી મળી શકે છે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. આ દરમિયાન રોકાણથી પણ સારું રિટર્ન મળી શકે છે.

મીન રાશિ

સૂર્યગ્રહણ અને શનિ-ગોચરનો સંયોગ મીન રાશિના લોકો માટે અત્યંત શુભ અને લાભકારી છે. આ દરમિયાન શનિ દેવની વિશેષ કૃપાથી નોકરી અને વેપારમાં જોરદાર આર્થિક પ્રગતિ જોવા મળી શકે છે. પરિવારમાં પિતા કે કોઈ મોટા સભ્યથી આર્થિક લાભ થશે. જે કામ લાંબા સમયથી અટકેલું હતું, તે સફળતાપૂર્વક પૂર્ણ થશે.

Tags :