BIG NEWS
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીથી ઉમેદવારી નોંધાવવાની તારીખ નક્કી, 13મી કરશે રોડ શૉ
By: gujaratsamachar.com | Updated at: 3 May 2024 14:42 PM (IST)
May 3, 2024 | 4:21 PM
અમિત શાહના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ નેતા અરૂણ રેડ્ડીની ધરપકડ
ગૃહમંત્રી અમિત શાહના ડીપફેક વીડિયો મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા અરૂણ રેડ્ડીની ધરપકડ કરી છે. અરૂણ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સોશિયલ મીડિયા સેના નેશનલ કોર્ડિનેટર છે અને તેમના ચેરપર્સન સુપ્રિયા શ્રીનેત છે. પોલીસના સૂત્રોના અનુસાર, અરૂણ રેડ્ડીનો રોલ વીડિયો બનાવવા અને તેને વાયરલ કરવાનો છે. જણાવાય રહ્યું છે કે, રેડ્ડીએ મોબાઈલથી પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો. પોલીસે તેમનો ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસમાં મોકલી દીધો છે.
May 3, 2024 | 3:59 PM
મુમતાઝ પટેલે કહ્યું- 'ચૈતર વસાવાએ મને પ્રચાર માટે બોલાવી નથી અને હું ગઈ પણ નથી'
નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈના સમર્થનમાં પ્રચાર કરવા સુરત પહોંચેલા મુમતાઝ પટેલે ચૈતર વસાવાને લઈને મોટું નિવેદન આપ્યું છે. મુમતાઝ પટેલે કહ્યું કે, 'હું ચૈતર વસાવા માટે પ્રચાર નહીં કરું. મેં ભરૂચમાં પ્રચાર નથી કર્યો. પહેલીવાર એવું બનશે કે કોંગ્રેસ માટે વોટ કરવા નહીં મળે. કોંગ્રેસે આ બેઠક પરથી લડવાનું હતું પણ તે નથી લડી તે દુઃખની વાત છે. મને ચૈતર વસાવાએ પ્રચાર માટે બોલાવી નથી અને હું ગઈ પણ નથી. ચૈતર વસાવાએ મારું સમર્થ માંગ્યું નથી. કદાચ એમને જરૂર નથી. હું એક મહિનાથી ભરૂચ નથી ગઈ.' મુમતાઝ પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ ચૈતર વસાવાથી નારાજ છે. તેમણે વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસને ભરૂચ બેઠક પરથી લડવાની જરૂર હતી.'
Read ArticleMay 3, 2024 | 1:53 PM
શિદેની શિવસેનામાં જોડાયા સંજય નિરૂપમ
કોંગ્રેસને અલવિદા કહીને સંજય નિરુપમ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા છે.
Read ArticleMay 3, 2024 | 12:29 PM
14મી મેએ વડાપ્રધાન મોદી વારાણસીથી ઉમેદવારી પત્ર દાખલ કરે તેવી શક્યતા
વડાપ્રધાન મોદી વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાના છે. ત્યારે આગામી 13મી મેએ વારાણસીમાં રોડ શૉ બાદ 14મી તારીખે તેઓ ઉમેદવારી પત્ર ભરે તેવી શક્યતા.
May 3, 2024 | 11:17 AM
ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલને જામીન મળી શકે? જાણો સુપ્રીમ કોર્ટે ઈડીને શું કહ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસીમાં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં હાલ તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટ કરેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ચૂંટણીના કારણે કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવા કહ્યું છે. આ દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે, હજુ અમારે આ મુદ્દે વિચાર કરવાનો છે. આ કેસની આગામી સુનાવણી મંગળવારે એટલે કે સાતમી મેએ ફરી હાથ ધરાશે.
Read Article