Vitamin K: વિટામિન K ની ઉણપ શા માટે થાય છે, જાણો લક્ષણો.

લોહી ગંઠાઈ જવા માટે વિટામિન K જરૂરી છે. ઉપરાંત, તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને શરીરમાં કેલ્શિયમના લેવલને પણ કંટ્રોલ કરે છે.

વિટામિન K ની ઉણપના ઘણા કારણો હોઈ શકે છે. આમાં ખરાબ આહાર, લીવર રોગ, પાચન સમસ્યાઓ અને વધુ એન્ટિબાયોટિક્સ લેવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નવજાત શિશુઓમાં જન્મથી જ તેની ઉણપ હોઈ શકે છે.

શરીરમાં વિટામિન K ની ઉણપ હોય ત્યારે ઘણા લક્ષણો દેખાય છે. જેને અવગણવા જોઈએ નહીં. જાણીએ તે લક્ષણો વિષે....

જો વાગ્યા પછી લાંબા સમય સુધી લોહી વહેતું રહે, તો તે વિટામિન K ની ઉણપનું મોટું લક્ષણ હોઈ શકે છે.

તેમજ વારંવાર નાકમાંથી લોહી નીકળવું, ખાસ કરીને કોઈ કારણ વગર, તો તે પણ વિટામિન K ની ઉણપ સૂચવે છે.

બ્રશ કરતી વખતે અથવા કારણ વગર પેઢામાંથી લોહી નીકળતું હોય તો તે પણ વિટામિન K ની ઉણપનું લક્ષણ છે.

વિટામિન K ની ઉણપ ઇન્ટરનલ બ્લીડીંગનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, પેશાબ અથવા મળમાં રક્તસ્ત્રાવ એક ગંભીર સંકેત હોઈ શકે છે.

હાડકાં, લીવર, મગજ, હૃદય અને સ્વાદુપિંડને વિટામિન K ની જરૂર હોય છે. હાર્વર્ડ જણાવે છે કે 19 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરુષોને દરરોજ 120 mcg વિટામિન K ની જરૂર હોય છે અને સ્ત્રીઓને 90 mcg ની જરૂર હોય છે.

More Web Stories