‘કોહલી નિવૃત્તિ લેવા માંગતો ન હતો, કંઈક તો ચોક્કસ થયું છે’ ઓસ્ટ્રેલિયન કૅપ્ટનનો ચોંકાવનારો દાવો
Virat Kohli Test Retirement : ભારતીય ટીમના પૂર્વ સુકાની વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સંન્યાસ લેતા સૌ કોઈ ચોંકી ગયા છે. કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે કે, શું કોહલીએ પોતાની જાતે નિર્ણય લીધો છે કે, પછી પ્રેશરમાં આવીને? કોહલીની સંન્યાસનો મુદ્દો માત્ર દેશમાં જ નહીં વિશ્વભરમાં ચર્ચાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની કૅપ્ટન એલિસા હીલી(Alyssa Healy)એ કહ્યું કે, તેને લાગતું નથી કે, કોહલી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવા માટે તૈયાર હતા.
કોહલીના સંન્યાસ પાછળ કંઈક તો ચોક્કસ થયું છે : એલિસા હીલી
હીલીએ એક પૉડકાસ્ટમાં કહ્યું કે, ‘મેં IPL દરમિયાન કોહલીને લાલ બોલથી પ્રેક્ટિસ કરતાં જોયા હતા, કંઈક તો ચોક્કસ થયું છે, કદાય કેટલાક અઠવાડિયામાં... મને લાગતું નથી કે, કોહલી પોતે આ નિર્ણય લેવા માટે તૈયાર હતા.’
ઓસ્ટ્રેલિયાના બ્રૉડકાસ્ટર એડમ પીકૉકે પણ આ જ શોમાં કહ્યું કે, ‘કેટલીક એવી વાતો છે, જે કોહલી અને બીસીસીઆઇ વચ્ચેના સંબંધોને લઈને સામે આવી શકે છે. હજુ સુધી સંપૂર્ણ કહાની સામે આવી નથી. હવે સૌની નજર એ વાત પર છે કે, શું કોહલી ભવિષ્યમાં ફરી ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરે છે કે, પછી હંમેશા માટે સંન્યાય લે છે.’
અગાઉ ઇંગ્લૅન્ડના પૂર્વ બોલેરે કર્યો હતો વિચિત્ર દાવો
આ પહેલા ઇંગ્લૅન્ડના પૂર્વ બોલર મોન્ટી પાનેસરે કોહલી અંગે વિચિત્ર દાવો કર્યો છે. તેણે કહ્યું હતું કે, વિરાટ કોહલીની નિવૃત્તિ ડરથી પ્રેરિત હતી. કોહલી એટલા માટે ઇંગ્લૅન્ડ ન આવ્યા, કારણ કે તેને ચિંતા હતી કે, ટીમ મેનેજમેન્ટ તેને સિરીઝ વચ્ચેથી જ બહાર કરી શકે છે. ત્યારબાદ કોહલીએ વિચાર્યું કે, હવે સમય આવી ગયો છે અને યુવાઓને તક આપવી જોઈએ. મને લાગતું હતું કે, કોહલી નિશ્ચિત રમવાના હતા, ઇંગ્લૅન્ડ પણ આશા રાખી રહ્યું હતું, તમામ લોકો આશા રાખી રહ્યા હતા કે તેઓ રમશે. મને આશ્ચર્ય થયું કે તેઓ આવી રીતે પાછા હટી ગયા. કદાચ ઓફ સ્ટંપની બહારના ફેક્ટના કારણે, કે પછી કોઈએ તેમની સાથે વાત કરી તેથી... જો તમે કેટલીક ટેસ્ટ મેચોના સારું પ્રદર્શન કરતાં નથી, તો તમામ પાંચ ટેસ્ટ મેચો રમવાની આશા ન રાખો. તેથી જ કદાચ તેણે (કોહલી) વિચાર્યું હશે કે, ઠીક છે, આને હું અહીં જ ખતમ કરી નાખું અને યુવાઓને તક આપું.
કોહલીએ 12 મેએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
વિરાટ કોહલીએ 12 મેએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ચીફ સિલેક્ટર અજીત અગરકરના જણાવ્યા મુજબ, કોહલીએ એપ્રિલમાં જ સંન્યાસ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ કોહલીએ મે મહિનામાં સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા સંન્યાસની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘મારા માટે આ નિર્ણય લેવો સરળ નહોતો, પરંતુ આ જ મને યોગ્ય લાગ્યું.’
આ પણ વાંચો : IPL 2025 Final: વરસાદનું વિઘ્ન આવે તો કેવી રીતે નક્કી કરાશે વિજેતા? જાણો નિયમો