Get The App

શું વિરાટે રોહિત શર્માને માર્યો ટોણો? કહ્યું - હું ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા નથી માગતો

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
શું વિરાટે રોહિત શર્માને માર્યો ટોણો? કહ્યું - હું ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા નથી માગતો 1 - image


IPL 2025: IPL 2025ની ટ્રોફી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાના નામે કરી છે. તેણે ફાઇનલમાં પંજાબ કિંગ્સને હરાવીને જીત મેળવી છે. ફાઇનલ મેચમાં RCB તરફથી તમામ ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. વિરાટ કોહલીએ મેચ પૂરી થયા બાદ મેથ્યૂ હેડન સાથે વાતચીત કરી અને તેણે IPLની આવનારી સીઝન માટે પોતાનો પક્ષ મૂક્યો હતો.  

હું ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા નથી માગતો 

વિરાટ કોહલીએ IPL ખિતાબ જીત્યા મેથ્યૂ હેડન સાથે વાત કરી. આ ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું કે, 'મને ઘણા વર્ષો સુધી આ રમત રમવાની તક નહીં મળે. જેમ કે તમે જાણો જ છો કે દરેક ખેલાડીની કારકિર્દીનો અંત હોય છે. જ્યારે હું ક્રિકેટ છોડી દઉં, ત્યારે હું કહી એ શકું કે મેં સખત મહેનત કરી અને મેં મારું સર્વસ્વ આપી દીધું. તેથી જ હું હંમેશા વધુ સારા બનવાનો પ્રયાસ કરું છું.'

'હું ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા નથી માગતો. હું પૂરી 20 ઓવર ફિલ્ડિંગ કરવા માગું છું અને મેદાન પર ટીમ માટે યોગદાન આપવા માગું છું. હું હંમેશાથી આવો જ ખેલાડી રહ્યો છું. ભગવાને વિચારવાનો યોગ્ય દૃષ્ટિકોણ અને ક્ષમતા આપી છે. અને પછી તમે ટીમને મદદ કરવા માટે નવા રસ્તાઓ શોધતા રહો છો.'

રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો

તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા IPL 2025માં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમતાં જોવા મળ્યો છે. તેણે કેટલીક મેચોમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ભાગ લીધો હતો. બીજી તરફ વિરાટ કોહલીએ IPLની આ સીઝનમાં ખેલાડી તરીકે જ ભાગ લીધો છે અને તે શાનદાર બેટિંગ તેમજ ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ આ નિવેદનથી કોઈને ટોણો નથી માર્યો અને તે માત્ર એટલું જ ઇચ્છે છે કે તે પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી શકે. વિરાટ એ વાતથી ખૂબ ખુશ છે કે તેણે IPL 2025ની ટ્રોફી પોતાના નામે કરી.

આ પણ વાંચો: વિરાટ કોહલી માટે '18' નો ગજબ સંયોગ, ટી-શર્ટથી માંડી IPL ની સિઝન પણ 18, જુઓ આંકડાની કમાલ

18 સીઝનમાં પહેલી વખત RCBએ ટ્રોફી પોતાના નામે કરી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 18 સીઝનમાં પહેલી વાર IPL ટ્રોફી પોતાના નામે કરી છે. ટીમના તમામ ખેલાડીઓ આ જીતથી ખૂબ જ ખુશ છે અને વિરાટ કોહલી માટે પણ આ ખૂબ જ ખાસ ક્ષણ છે. મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતાં RCBએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબ કિંગ્સ માત્ર 184 રન જ બનાવી શક્યું હતું. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે આ મેચમાં 43 રનની કિંમતી ઇનિંગ રમ્યો હતો. યુવા ખેલાડી શશાંક સિંહે પંજાબ માટે 61 રન બનાવ્યા હતા પરંતુ તે પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો.

Tags :