એશિયા કપમાં સુપર ઓવરના વિવાદ પર ભડક્યો સનથ જયસુર્યા, ICC સમક્ષ કરી આ માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs Sri Lanka Super Over Drama: એશિયા કપ 2025માં ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવારે (26મી સપ્ટેમ્બર) રમાયેલી સુપર 4 મેચ ટાઈ થઈ હતી. ત્યારબાદ બંને ટીમો સુપર ઓવરમાં ટકરાઈ હતી, જે ભારતે જીતી હતી. શ્રીલંકાની ટીમે સુપર ઓવરમાં ફક્ત બે રન બનાવ્યા, જેના કારણે ભારતીય ટીમ માટે કાર્ય સરળ બન્યું. હવે ભારત 28મી સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં વિવાદ
ભારત-શ્રીલંકા મેચમાં સુપર ઓવર દરમિયાન એક વિવાદાસ્પદ ક્ષણ જોવા મળી, જેમાં દાસુન શનાકા કેન્દ્રમાં હતા. સુપર ઓવરમાં શ્રીલંકા તરફથી શનાકા બેટિંગ કરવા આવ્યો. ઓવરના ચોથા બોલ અર્શદીપ સિંહે યોર્કર ફેંક્યો, જેને દાસુન શનાકાએ કેચ આઉટ કર્યો. આઉટ આપવામાં આવ્યો હોવા છતાં, શનાકા રન માટે દોડ્યો, પરંતુ બોલ પહેલાથી જ સંજુ સેમસનના ગ્લોવ્સમાં હતો. સેમસને સ્ટમ્પ પર ફેંકી દીધો અને શનાકાને આઉટ કર્યો.
સુપર ઓવરમાં શ્રીલંકાની ઈનિંગ પૂરી થઈ ગઈ હોય તેવું લાગતું હતું, પરંતુ એવું નહોતું. જ્યારે દાસુન શનાકાને ખબર પડી કે અમ્પાયરે તેને કેચ આઉટ આપ્યો છે, ત્યારે તેણે રિવ્યુ લેવાનું નક્કી કર્યું. અલ્ટ્રાએજે બતાવ્યું કે બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો નથી. નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો, અને શનાકા ક્રીઝ પર પાછો ફર્યો. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના કાયદા 20.1.1.3 મુજબ, બેટરને આઉટ આપતાની સાથે જ બોલ ડેડ થઈ જાય છે. તેથી સંજુ સેમસનનો રન આઉટ અમાન્ય હતો કારણ કે અમ્પાયરે પહેલેથી જ આંગળી ઊંચી કરી દીધી હતી.
આ પણ વાંચો: Asia Cup 2025: પાકિસ્તાન સામે ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, બે સ્ટાર ખેલાડી ઈન્જર્ડ
સનથ જયસૂર્યાએ નિયમો પર સવાલ ઊઠાવ્યા
સુપર ઓવર વિવાદ બાદ શ્રીલંકાના મુખ્ય કોચ સનથ જયસૂર્યાએ નિયમો પર સવાલ ઊઠાવ્યા છે. જયસૂર્યાએ કહ્યું કે 'આ નિયમો વિવાદનું કારણ છે. ફક્ત પહેલો નિર્ણય જ માન્ય રહે છે. જ્યારે શનાકાને આઉટ આપવામાં આવ્યો, ત્યારે બોલ ડેડ બોલ બની ગયો. બાદમાં, જ્યારે રિવ્યુ પર નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો, ત્યારે તે નિર્ણય ગણાયો. પરંતુ મને લાગે છે કે આવી પરિસ્થિતિઓ ટાળવા માટે નિયમોમાં સુધારો કરવાની જરૂર છે.'
શ્રીલંકાના સેન્ચ્યુરીયન, પથુમ નિસાન્કા સુપર ઓવરમાં બેટિંગ કરવા માટે ઉતર્યા ન હતા, જેના કારણે ઘણી ચર્ચા થઈ હતી. સનથ જયસૂર્યાએ સમજાવ્યું કે નિસન્કાને પાછલી બે મેચોમાં હેમસ્ટ્રિંગ અને ગ્રોઈનમાં ઈજાઓ થઈ હતી, જેના કારણે તે અસ્વસ્થતા અનુભવતો હતો. જયસૂર્યાના મતે તેથી ટીમે જોખમ લેવાનું ટાળ્યું અને તેના બદલે ડાબેરી-જમણી જોડીનો પ્રયાસ કર્યો.








