Sports

પહેલી ટેસ્ટમાં હારથી ભડક્યો શમી, ટીમ ઈન્ડિયાના બોલર્સને કહ્યું - બુમરાહ પાસેથી તો શીખો

By GS TEAM
27 Jun 20252 mins read
TukuTouch Logo
લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બોલર્સ બીજી ઇનિંગમાં 371 રનના ટાર્ગેટનો બચાવ કરી શક્યા ન હતા. પહેલી ઇનિંગમાં 5 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ પણ વિકેટ માટે સંઘર્ષ કરતો રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલી ટેસ્ટમાં હારથી ભડક્યો શમી, ટીમ ઈન્ડિયાના બોલર્સને કહ્યું - બુમરાહ પાસેથી તો શીખો
(PHOTO - IANS)

IND vs ENG Mohammed Shami Slams Team India: લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બોલર્સ બીજી ઇનિંગમાં 371 રનના ટાર્ગેટનો બચાવ કરી શક્યા ન હતા. પહેલી ઇનિંગમાં 5 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ પણ વિકેટ માટે સંઘર્ષ કરતો રહ્યો હતો.

શમી આ ટેસ્ટમાં ભારતની બોલિંગથી નારાજ 

લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કારમી હાર બાદ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પ્રતિક્રિયા સામે આવી છે. શમી આ ટેસ્ટમાં ભારતની બોલિંગથી નારાજ દેખાય છે. લીડ્સ ટેસ્ટ મેચમાં, ભારતીય બોલર્સે બંને ઇનિંગ્સમાં 4.5 થી વધુના રન રેટથી રન આપ્યા હતા. ભારતીય બોલર્સમાં, ફક્ત જસપ્રીત બુમરાહ અસરકારક દેખાતો હતો.

ભારતીય બોલર્સે જસપ્રીત બુમરાહ પાસેથી શીખવું જોઈએ: શમી

નારાજગી વ્યક્ત કરતા મોહમ્મદ શમીએ કહ્યું કે, 'બાકીના ભારતીય બોલર્સે જસપ્રીત બુમરાહ પાસેથી શીખવું જોઈએ અને મેદાન પર તેને સંપૂર્ણ ટેકો આપવો જોઈએ. બુમરાહએ પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી, પરંતુ બીજી ઇનિંગમાં ઇંગ્લિશ બોલર્સે આ સ્ટાર બોલર સામે કોઈ જોખમ લીધું ન હતું, જેના કારણે તેઓ કોઈ વિકેટ મેળવી શક્યા ન હતા.

બોલિંગમાં થોડી વધુ મહેનત કરવાની જરૂર છે

મોહમ્મદ શમીએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'બોલિંગમાં, બાકીના ભારતીય બોલર્સે બુમરાહ સાથે વાત કરવી જોઈએ અને તેની પાસેથી શીખવું જોઈએ. તેમણે તેની સાથે યોજના બનાવવી જોઈએ અને તેને ટેકો આપવો જોઈએ. જો તેઓ બુમરાહને ટેકો આપો છો, તો આપણે સરળતાથી મેચ જીતી શકીએ છીએ. જો હું પહેલી મેચ વિશે વાત કરું, તો મને લાગે છે કે આપણે બોલિંગમાં થોડી વધુ મહેનત કરવાની જરૂર છે.'

આ પણ વાંચો: પહેલી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમમાં મોટા ફેરફારના સંકેત, બુમરાહને આરામ તો શાર્દુલને ટીમ બહાર કરાઈ શકે

શમી આ કારણોસર ટેસ્ટ સિરીઝથી બહાર છે

મોહમ્મદ શમી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ નથી. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ટીમની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે શમી આ સિરીઝ માટે સંપૂર્ણપણે ફિટ નથી. શમીની ગેરહાજરીમાં, ડાબોડી ઝડપી બોલર અર્શદીપ સિંહને પહેલી વાર ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાની તક મળી. અર્શદીપ પ્રથમ ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ-11માં સ્થાન મેળવી શક્યો ન હતો, પરંતુ તે આગામી મેચમાં રમે તેવી શક્યતા છે.