Sports

હવે સમજાઈ ગયું છે કે બાકીના કરિયરમાં શું કરવું, ઑસ્ટ્રેલિયા વનડે સીરિઝ બાદ રોહિત શર્માનું મોટું નિવેદન

By GS TEAM
27 Oct 20252 mins read
TukuTouch Logo
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેનું બેટ જોરદાર પ્રદર્શન કર્યું, જે ટીમ માટે તેની યોગ્યતા સાબિત કરે છે. રોહિતે 223 દિવસ પછી ભારતીય ટીમ માટે મેચ રમી. પર્થમાં રોહિત સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ તેણે એડિલેડ ODI માં અડધી સદી ફટકારી હતી, જ્યારે સિડનીમાં તેણે અણનમ સદી સાથે ભારતને ક્લીન સ્વીપથી બચાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે સમજાઈ ગયું છે કે બાકીના કરિયરમાં શું કરવું, ઑસ્ટ્રેલિયા વનડે સીરિઝ બાદ રોહિત શર્માનું મોટું નિવેદન

Rohit Sharma big Statement: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેનું બેટ જોરદાર પ્રદર્શન કર્યું, જે ટીમ માટે તેની યોગ્યતા સાબિત કરે છે. રોહિતે 223 દિવસ પછી ભારતીય ટીમ માટે મેચ રમી. પર્થમાં રોહિત સસ્તામાં આઉટ થયો હતો, પરંતુ તેણે એડિલેડ ODI માં અડધી સદી ફટકારી હતી, જ્યારે સિડનીમાં તેણે અણનમ સદી સાથે ભારતને ક્લીન સ્વીપથી બચાવ્યું હતું.

આ પણ વાંચો: વર્લ્ડકપ 2027ની ટીમમાં અત્યારથી લખી નાંખો રોહિત અને વિરાટનું નામ, ગાવસ્કરની BCCIને સલાહ

રોહિત બન્યો હતો પ્લેયર ઓફ ધ સીરિઝ

રોહિતે મે મહિનામાં IPL 2025 પછી કોઈ સ્પર્ધાત્મક ક્રિકેટ રમી ન હતી. તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવતા પહેલા સખત તાલીમ લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયામાં પોતાની સફળતાનો શ્રેય આ તૈયારીને આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 2-1થી સીરિઝ જીતી હતી, પરંતુ ભારતીય ચાહકો રોહિત અને વિરાટ કોહલીને રન બનાવતા જોઈને આનંદ થયો. રોહિતને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

'હવે સમજાઈ ગયું છે કે બાકીના કરિયરમાં શું કરવું'

રોહિતે BCCIની વેબસાઈટ પર કહ્યું, 'જ્યારથી મેં રમવાનું શરૂ કર્યું છે, ત્યારથી મને સીરિઝની તૈયારી માટે ચારથી પાંચ મહિનાનો સમય મળ્યો નથી, તેથી હું તેનો ઉપયોગ કરવા માંગતો હતો. હું મારી રીતે મારી પોતાની શરતો પર બધું કરવા માંગતો હતો, અને તે મારા માટે ખરેખર સારું હતું. કારણ કે હું સમજી ગયો હતો કે મારે બાકીના કરિયર માટે શું કરવાની જરૂર છે. તે સમયનો ઉપયોગ કરવો જરૂરી હતો કારણ કે, જેમ મેં પહેલા કહ્યું હતું, મારી પાસે પહેલાં ક્યારેય આટલો સમય નહોતો, અને મેં ઘરે જ સારી તૈયારી કરી હતી.'

આ પણ વાંચો: IPL : રોહિત શર્માનો ખાસ મિત્ર બનશે KKRનો હેડ કોચ? ને લઈને અટકળો તેજ

તેણે વધુમાં આગળ કહ્યું કે, એટલે અહીં આવ્યા પહેલા મેં જે રીતે તૈયારી કરી હતી તેને ઘણો શ્રેય આપું છું. મેં મારી જાતને ઘણો સમય આપ્યો હતો. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું કારણ કે ક્યારેક તમારે સમજવાની જરૂર હોય છે કે, જીવનમાં તમે વ્યવસાયિક રીતે જે કરો છો તેના કરતાં ઘણું કરવાનું છે, પરંતુ મારી પાસે ઘણો સમય હતો, તેથી મેં તેનો ઉપયોગ કર્યો.'