'અમે જંગ જીતી ગયા...' RCB એ શ્રેયસ અય્યરને માર્યો ટોણો, જુઓ કઈ રીતે કર્યો ટ્રોલ
RCB Tweet after Winning IPL 2025: IPL 2025ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હતી. RCBના તમામ ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું અને તેમની ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ફાઇનલ મેચ સમાપ્ત થયા પછી, RCB એ એક ખાસ ટ્વિટ કર્યું છે જેમાં તેમણે પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયર પર નિશાન સાધ્યું છે.
RCB એ જીત બાદ કર્યું એક ખાસ ટ્વિટ
IPL ફાઇનલ જીત્યા બાદ RCB એ તેમના ઓફિશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ટ્વિટ કર્યું જેમાં તેમણે રજત પાટીદારનો ફોટો શેર કર્યો અને તેના કેપ્શન પર લખ્યું, 'અમે જંગ જીતી ગયા અને યુદ્ધ પણ.'
RCB એ શ્રેયસ ઐયરને આપ્યો જવાબ
જ્યારે RCB ક્વોલિફાયર-1માં પંજાબ કિંગ્સ સામે જીત્યું હતું, ત્યારે શ્રેયસ ઐયરે કહ્યું હતું કે, 'હું આ દિવસ ભૂલી શકીશ નહિ, આપણે આ જંગ હારી છે યુદ્ધ નહિ.' એવામાં ફાઇનલ જીત્યા પછી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ આ જ કારણોસર આ ટ્વિટ કર્યું અને શ્રેયસ ઐયરને ખૂબ જ ટ્રોલ કર્યો.
શ્રેયસ ઐયરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની કૅપ્ટનશીપ કરી હતી અને મધ્યપ્રદેશ સામેની મેચ જીતી હતી. આ સિઝનમાં મધ્યપ્રદેશની કૅપ્ટનશીપ રજત પાટીદારે કરી હતી. IPL 2025ની ફાઇનલમાં પણ, બધાને લાગ્યું હતું કે શ્રેયસ ઐયરની કૅપ્ટનશીપમાં પંજાબ કિંગ્સ આ ટ્રોફી જીતશે, પરંતુ RCB એ આવું થવા દીધું નહિ. RCB એ જોરદાર પ્રદર્શન કર્યું અને આ ટુર્નામેન્ટની ટ્રોફી જીતી. RCBના ફેન્સ પણ તેમની ટીમના પ્રદર્શનથી ખૂબ ખુશ છે. 18 સીઝનમાં પહેલી વાર, RCB એ IPL ટ્રોફી જીતી છે. ફાઇનલ જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના તમામ ખેલાડીઓએ આ જીતની શાનદાર ઉજવણી કરી.