બેંગલુરુ નાસભાગ: મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર આપશે RCB, ‘RCB Cares’ ફંડ પણ થશે શરૂ
RCB Stampede Compensation : આઈપીએલ-2025માં ચેમ્પિયન બનેલી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની જીત માટે ગઈકાલે (4 જૂન) બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણીનું આયોજન કરાયું હતું, જેમાં નાસભાગની ઘટના બનતા 11 લોકોના મોત અને 33 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે આ ઘટના મામલે આરસીબીએ દુઃખ વ્યક્ત કરવાની સાથે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની મોટી જાહેરાત કરી છે.
મૃતકોના પરિજનોને માટે RCBની મોટી જાહેરાત
રૉયલ ચેલેન્જર બેંગલુરુના ફ્રેન્ચાઈઝીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘બેંગલુરુની નાસભાગની ઘટનામાં મૃત્યુ પામેલાઓ પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરવા માટે ‘RCB Cares’ નાથી એક વિશેષ ફંડ શરૂ કરાશે.’ આરસીબીએએ એમ પણ કહ્યું છે કે, ‘અમારા ચાહકો હંમેશા અમારા દિલની નજીક છે. આ દુઃખ સમયમાં આપશે એક છીએ અને અમે સંપૂર્ણ સંવેદના અને સમર્થન સાથે પીડિતો સાથે ઉભા છીએ.’
𝗢𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗦𝘁𝗮𝘁𝗲𝗺𝗲𝗻𝘁: 𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗲𝗻𝗴𝗮𝗹𝘂𝗿𝘂
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 5, 2025
The unfortunate incident in Bengaluru yesterday has caused a lot of anguish and pain to the RCB family. As a mark of respect and a gesture of solidarity, RCB has announced a financial… pic.twitter.com/C50WID1FEI
સ્ટેડિયમની 35000ની ક્ષમતા, પહોંચ્યા ત્રણ લાખ લોકો
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બેંગલુરના સ્ટેડિયમમાં નાસભાગની ઘટનામાં 11 લોકોના મોત અને 33 લોકોને ઈજા થઈ હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, સ્ટેડિયમમાં 35 હજારની ક્ષનતા હતી, પરંતુ બહાર ત્રણ લાખથી વધુ લોકો આવ્યા હતા.
ઘટનાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો
ઘટનાનો મામલે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે, સ્ટેડિયમ અને તેની આસપાસ કાયદો અને વ્યવસ્થાની દેખરેખ રાખવા માટે શહેરના પોલીસ કમિશનર, ડીસીપી અને એસીપી સહિત 1000થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત હતા. જ્યારે એક દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે દાવો કર્યો હતો કે, ભીડને નિયંત્રણમાં રાખવા માટે 5000 પોલીસ કર્મચારીઓ હાજર હતા.
આ પણ વાંચો : મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત