Get The App

'પંગા મત લો...' રોહિત-કોહલીના સપોર્ટમાં રવિ શાસ્ત્રી, શું ગંભીર-અગરકરને માર્યો ટોણો?

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
'પંગા મત લો...' રોહિત-કોહલીના સપોર્ટમાં રવિ શાસ્ત્રી, શું ગંભીર-અગરકરને માર્યો ટોણો? 1 - image


Ravi Shastri Warns Critics: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી અને રોહિત શર્માની ટીકા કરનારાઓ અને તેમની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવનારાઓને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, 'આ બે દિગ્ગજ ખેલાડીઓ સાથે પંગો ન કરવો જોઈએ.' તેમના આ નિવેદનથી એવી અટકળો તેજ થઈ છે કે શાસ્ત્રીએ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને નિશાન બનાવ્યા છે.

રવિ શાસ્ત્રીની સીધી ચેતવણી

એક મીડિયા ઈન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ કોહલી અને રોહિતનો પક્ષ લેતા ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, 'જો કોહલી અને રોહિત યોગ્ય રીતે જવાબ આપવાનું શરૂ કરશે, તો તેની સામે બોલનારાઓને તરત જ બાજુ પર ધકેલી દેવામાં આવશે અને ક્યાંય દેખાશે નહીં.'

રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી કે બંને ખેલાડીઓની તાકાત, અનુભવ અને પ્રભાવ આજે પણ એટલો જ મહાન છે, અને કોઈ પણ તેમના મહત્ત્વને ઓછો આંકી શકે નહીં. નોંધનીય છે કે, રવિ શાસ્ત્રીનો વિરાટ કોહલી સાથે ગાઢ સંબંધ રહ્યો છે અને તેઓ રોહિત શર્મા સાથે પણ લાંબા સમય સુધી કામ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: ભારતનો નવો ચેસ સ્ટાર: 3.7 વર્ષના બાળકે સર્જ્યો રેકોર્ડ, દુનિયાનો સૌથી નાની ઉંમરનો રેપિડ રેટેડ ખેલાડી બન્યો

નિવેદન પાછળનું કારણ

પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની આ તીખી ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે 2027ના ODI વર્લ્ડ કપ પહેલા કોહલી અને રોહિતની ટી-20 અને વનડે ક્રિકેટમાં લાંબા આયુષ્ય અને તેમની ભૂમિકાઓ અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. કોહલી અને રોહિત બંનેએ તાજેતરમાં ટેસ્ટ અને વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તેમની ભાવિ ભૂમિકાઓ અંગે પ્રશ્નો વધી ગયા છે.

જો કે, રવિ શાસ્ત્રીએ કોઈનું નામ લીધું ન હતું, પરંતુ તેમના શબ્દોથી સ્પષ્ટ સંકેત મળે છે કે તેમની ચેતવણી તે લોકો માટે હતી જેઓ આ બે દિગ્ગજ ખેલાડીઓની છબી પર સવાલ ઉઠાવી રહ્યા છે. રવિ શાસ્ત્રીનું આ નિવેદન ભારતીય ક્રિકેટમાં કોચિંગ સ્ટાફ અને પ્લેયર્સની ભૂમિકા અંગેના આંતરિક સંઘર્ષના સંકેત આપી રહ્યું છે.

Tags :