'અમ્પાયરે ખોટું કર્યું, ICCએ ધ્યાન આપવું જોઈએ...', લોર્ડ્સ ટેસ્ટ મુદ્દે કેમ ભડક્યો આર. અશ્વિન?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અશ્વિને કહ્યું 'મારો અનુભવ પોલ રીફેલની સાથે એવો રહ્યો છે કે જ્યારે ભારતની બોલિંગ હોય છે ત્યારે તેઓ આઉટ નથી આપતા. જ્યારે ભારત બેટિંગ કરે છે ત્યારે તેઓ આઉટ આપે છે. આવું માત્ર ભારતની ટીમ સાથે જ નહીં પણ બીજી અન્ય દેશોની ટીમ સાથે પણ કરતાં હોય છે, તો ICCએ તેમની પર ધ્યાન આપવું જોઈએ'
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરુદ્ધ ICCની કડક કાર્યવાહી, મેચ ફીસના 15 ટકા દંડ
અશ્વિને આગળ કહ્યું કે મારા પિતા મારી સાથે મેચ જોઈ રહ્યા હતા અને તેમણે કહ્યું, 'જ્યારે પણ પોલ રીફેલ અંપાયર રહેશે, ભારત જીતશે નહીં.' એટલુ જ નહીં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન સ્પિનર અનિલ કુંબલેએ પણ રીફેલના નિર્ણયો પર પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે'એવું લાગે છે કે પોલ રીફેલે નક્કી કરી લીધું છે કે કંઇ પણ થાય, આઉટ આપવો જોઈએ નહીં..'








