Get The App

મુંબઈને એક ભૂલ ભારે પડી! પંજાબ સામેની ક્વૉલિફાયર 2માં બની હારનું કારણ

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈને એક ભૂલ ભારે પડી! પંજાબ સામેની ક્વૉલિફાયર 2માં બની હારનું કારણ 1 - image


PBKS Vs MI: IPL 2025માં ફાઈનલ રમવાનું મુંબઈ ઈન્ડિયન્સનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. બીજી ક્વૉલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે MI ને 5 વિકેટથી હરાવીને 11 વર્ષ પછી ટાઈટલ મેચમાં એન્ટ્રી મારી લીધી છે. શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરીને મુંબઈના મોં માંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. અય્યરે 41 બોલમાં 87 રનની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.



મુંબઈને એક ભૂલ ભારે પડી

જોકે ટ્રેન્ટ બોલ્ટની એક ભૂલ મુંબઈ ઈન્ડિયન્સ માટે મોંઘી સાબિત થઈ છે. વાસ્તવમાં અય્યર અને નેહલ વઢેરાએ ચોથી વિકેટ માટે 84 રનની પાર્ટનરશિપ કરી. પરંતુ જ્યારે નેહલ 13 રન બનાવીને રમી રહ્યો હતો, ત્યારે બોલ્ટે બાઉન્ડ્રી લાઈન પર તેની સરળ કેચ છોડી દીધી હતી. આ કેચ MI માટે મોંઘો સાબિત થયો. નેહલે 29 બોલમાં 48 રનની ઈનિંગ રમીને અય્યર સાથે મળીને મેચને મુંબઈ પાસેથી છીનવી લીધી. 

આ પણ વાંચો: IPL 2025: મુંબઇને હરાવીને ફાઇનલમાં પહોંચી પંજાબ કિંગ્સ, શ્રેયસ અય્યરની તોફાની બેટિંગે અપાવી જીત

આવી રહી મેચ

રવિવારની મેચમાં પંજાબે ટોસ જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઈનિંગ રમી હતી. 

Tags :