Get The App

કેચ છોડ્યા, હિટ વિકેટ આઉટ થયો... MI સામે ગુજરાતની હારનો 'વિલન' સાબિત થયો વિદેશી ખેલાડી

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
કેચ છોડ્યા, હિટ વિકેટ આઉટ થયો... MI સામે ગુજરાતની હારનો 'વિલન' સાબિત થયો વિદેશી ખેલાડી 1 - image


IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સને 20 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ટીમ ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ. એલિમિનેટરમાં ગુજરાતની હારનો મોટો વિલન કુશલ મેન્ડિસ અને ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોટઝી રહ્યો હતો. મુંબઈના બેટ્સમેનોએ ગેરાલ્ડ કોટઝીની ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યાં. પરિસ્થિતિ એવી બની કે કેપ્ટન શુભમન ગિલે તેને ફક્ત 3 ઓવર બોલિંગ કરાવી, જેમાં તેણે 51 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં. 

કુશલ મેન્ડિસ મેચનો સૌથી મોટો વિલન બન્યો

જ્યારે શ્રીલંકાના કુશલ મેન્ડિસે ગુજરાત માટે IPL ડેબ્યૂ કર્યું, જે બહુ ખાસ નહોતું. તેને જોસ બટલરની જગ્યાએ ગુજરાતની ટીમમાં સ્થાન મળ્યું હતું.  શ્રીલંકાના વિકેટકીપર-બેટરનું મુંબઈ ઇન્ડિયન્સ સામે પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. એલિમિનેટર મેચમાં ગુજરાત માટે ડેબ્યૂ કરી રહેલા મેન્ડિસે વિકેટકીપિંગમાં બે મહત્વપૂર્ણ કેચ છોડી દેતા ટીમ મુશ્કેલીમાં મૂકાઈ હતી. 

પહેલો કેચ રોહિત શર્મા અને બીજો સૂર્યકુમાર યાદવનો હતો. રોહિતે આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 81 રન બનાવ્યા, જેના કારણે મુંબઈએ મોટો સ્કોર બનાવ્યો. બીજી તરફ, કુશલ મેન્ડિસ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહીં, ખૂબ જ મહત્વપૂર્ણ સમયે તે હિટ વિકેટ આઉટ થયો હતો. એટલે કે તે મિચેલ સેન્ટરની ઓવરમાં શોર્ટ રમવા જતાં બેકફૂટ પર ગયો ત્યારે તેનો પગ સ્ટમ્પને અડી ગયો હતો. કુશલ 10 બોલમાં 20 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.  

આ પણ વાંચો: ICC ટેસ્ટ રેન્કિંગની જાહેરાત: બેટરમાં જો રૂટ નંબર વન, ભારતનો યશસ્વી જયસ્વાલ ટોપ-5માં

મુંબઈ તરફથી રોહિત શર્માએ 50 બોલમાં 81 રનની શાનદાર ઇનિંગ રમી, જેના કારણે પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ મુંબઈને  228/5 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 33 અને જોની બેયરસ્ટોએ 47 રનની શાનદાર ઇનિંગ રમી. ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણ અને આર. સાઈ કિશોરે બે-બે વિકેટ લીધી.  ગુજરાત ટાઇટન્સે પણ સારી લડત આપી. સાઈ સુદર્શને 49 બોલમાં 80 રન (10 ચોગ્ગા, 1 છગ્ગા) અને વોશિંગ્ટન સુંદરે 24 બોલમાં 48 રન બનાવ્યા હતા. એક સમયે ગુજરાત ટાઈટન્સ મેચમાં ભારે પડી રહ્યું હતું પરંતુ ધીમે ધીમે વિકેટ ગુમાવતા અને રનરેટ જાળવવાનો પ્રેશર વધતાં છેલ્લે ગુજરાતની ટીમે મુંબઈ ઈન્ડિયન્સના મોટા સ્કોર સામે શરણાગતિ સ્વીકારી હતી. હવે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમ પહેલી જૂને અમદાવાદમાં પંજાબ કિંગ્સ સામે ક્વોલિફાયર-2 રમશે.

કેચ છોડ્યા, હિટ વિકેટ આઉટ થયો... MI સામે ગુજરાતની હારનો 'વિલન' સાબિત થયો વિદેશી ખેલાડી 2 - image



Tags :