Get The App

મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ? બરાબરના બાખડ્યા આકાશ ચોપડા અને સુરેશ રૈના

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ? બરાબરના બાખડ્યા આકાશ ચોપડા અને સુરેશ રૈના 1 - image


IPL 2025: ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ફ્યૂચર શું હશે? આ અંગે ધોનીએ પણ હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી કર્યું. પરંતુ તેની ફિટનેસ આખી સીઝન ચર્ચાનો વિષય રહી. તેનું કારણ છે IPL 2025ની સૌથી વધુ ઉંમરના પ્લેયર રહેલા 'કેપ્ટન કૂલ'નું ફોર્મ. આ સીઝનમાં તે બેટિંગમાં પણ ખૂબ સંઘર્ષ કરતો નજર આવ્યો. ગુજરાત ટાઈટન્સ સામે લીગ સ્ટેજની છેલ્લી મેચ પહેલા ફરી એકવાર તેના ભવિષ્યને લઈને કોમેન્ટેટર્સ બાખડી પડ્યા. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોનીના બે નજીકના મિત્રો સુરેશ રૈના અને આરપી સિંહ તેના પક્ષમાં વાત કરી રહ્યા છે. જ્યારે આકાશ ચોપડા અને સંજય બાંગર વિપક્ષમાં દલીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હવે ધોનીએ IPLમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ. આ સીઝનમાં તે 8મા નંબરે બેટિંગ કરવા આવી રહ્યો હતો. તે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને પોતાની આગળ મોકલી રહ્યો હતો.

આ મુદ્દે સુરેશ રૈનાએ કહ્યું કે, તે બીજાને વધુ તક આપવા માગે છે. જ્યારે આકાશ ચોપડા અને બાંગરનું કહેવું છે કે, હવે ધોની એટલો ફિટ નથી રહ્યો કે તે ઉપર બેટિંગ કરવા પણ આવી શકે. ધીમે-ધીમે આ ચર્ચા હીટેડ આર્ગ્યૂમેન્ટમાં ફેરવાઈ ગઈ.


કોણે શું કહ્યું?

આકાશ ચોપડાએ આ ડિબેટની શરૂઆત કરી. તેણે સૌથી પહેલા પૂછ્યું કે, જો MS ધોની અનકેપ્ડ ન હોત તો શું CSK ટીમનો આ વર્ષે હિસ્સો પણ હોત? તેના પર સુરેશ રૈનાએ જવાબ આપ્યો કે, હા, બિલ્કુલ. તે 18 વર્ષથી ટીમનો હિસ્સો છે. હાલમાં પણ તે સૌથી વધુ છગ્ગા ફટકારે છે.

આકાશ ચોપડાએ ફરી પૂછ્યું કે, પોઈન્ટ એ છે કે તે 7, 8 અને 9 નંબર પર બેટિંગ કરવા કેમ આવી રહ્યો છે? તમારી ટીમ સારી બેટિંગ નથી કરી રહી. ટોપ ઓર્ડર ફ્લોપ થઈ રહ્યો છે. શું આટલા મોટા ખેલાડીએ ઉપર બેટિંગ ન કરવી જોઈએ? શું તે ફિટ પણ છે કે નહીં?

રૈનાએ ફરી આનો જવાબ આપતા કહ્યું કે, 'તે છેલ્લી ચાર ઓવરમાં વધુ કમ્ફર્ટેબલ ફીલ કરે છે. તે ફિટ છે. તે 44 વર્ષની ઉંમરે પણ વિકેટકીપિંગ કરી રહ્યો છે. તેણે IPL દરમિયાન એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, T20 વર્લ્ડ કપ માટે એક ટીમ બનાવવામાં આવી રહી છે. એટલા માટે હું શિવમ દુબે અને અન્ય ખેલાડીઓને વધુ તકો આપવા માગુ છું.'

આ ચર્ચામાં આરપી સિંહે પણ ઝંપલાવ્યું અને કહ્યું કે, ઘૂંટણની સર્જરી પછી તેમનું સમય લેવું વાજબી છે. દરેક ખેલાડીએ આ કરવું જ પડે છે. તે 20 વર્ષથી કીપિંગ કરી રહ્યો છે. અને તેઓ પોતાને મેનેજ કરે છે. રૈનાએ પણ ઘૂંટણની સર્જરી કરાવી હતી. તેણે થોડા સમય માટે પોતાને મેનેજ કર્યો હતો. ધીમે ધીમે રિકવર થઈ ગયો. 

આ પણ વાંચો: ગુજરાતના સ્ટાર ક્રિકેટરે અચાનક નિવૃત્તિ જાહેર કરી, ભાવુક પોસ્ટ શેર કરી કહ્યું- સપનું પૂર્ણ કરવા બે દાયકા રાહ જોઈ

આ ચર્ચા વધુ ગંભીર ત્યારે બની જ્યારે સંજય બાંગરે કહ્યું કે, ધોનીના કારણે ઋતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજા ટીમમાં લીડર તરીકે સારું પ્રદર્શન નથી કરી શકતા.

આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોની માત્ર 196 રન બનાવી શક્યો. આ દરમિયાન તેની એવરેજ 24.50 અને સ્ટ્રાઈક રેટ 135.17 રહ્યો. જ્યારે ગત સિઝનમાં તેણે 53.66ની એવરેજ અને 220.54ના સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા હતા.

Tags :